કોરોના વાયરસનુ પહેલુ અને બીજુ ટેસ્ટિંગ ફ્રી, લક્ષણ જણાય તો આ નંબર પર કૉલ કરો
આરોગ્ય મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસની પુષ્ટિ માટે થનાર પહેલુ અને બીજુ ટેસ્ટિંગ સંપૂર્ણપણે ફ્રી હશે.
ભારતમાં નોવોલ કોરોના વાયરસના કેસ 100થી ઉપર થઈ ગયા છે અને બે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કોરોના વાયરસની પુષ્ટિ માટે થનાર પહેલુ અને બીજુ ટેસ્ટિંગ સંપૂર્ણપણે ફ્રી હશે. મંત્રાલય તરફથી રવિવારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે દરેક નાગરિક માટે બે ટેસ્ટ દરમિયાન કોઈ ફી નહિ લેવામાં આવે.

લક્ષણ જણાય તો આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરો
આરોગ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમાર ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દેશાં હજુ ટેસ્ટિંગની ક્ષમતા છે. તેમણે માહિતી આપી કે અત્યાર સુધી માત્ર 10 ટકા ક્ષમતાનો પણ ઉપયોગ કરાઈ શકાયો છે. ભારત તરફથી કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે 52 ટેસ્ટિંગ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે જો તેમને કોરોના વાયરસના લક્ષણ જેવા કે ખાંસી, તાવ કે પછી શ્વાસ લેવામાં મુશ્કેલી દેખાય તો તેમણે ટેસ્ટિંગથી દૂર રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે 'જો લોકોમાં કોરોના વાયરસના લક્ષણ દેખાય અથવા તેમની આ મહામારીથી સંક્રમિત દેશ જેવા કે ઈટલી કે ચીનની ટ્રાવેલ હિસ્ટ્રી રહી હોય તો પછી તેમણે હેલ્પલાઈન નંબર 011-23978046 પર કૉલ કરવો જોઈએ. આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી મુજબ હેલ્પલાઈન નંબર સર્વિસ દ્વારા કૉન્ટેક્ટ ડિટેલ્સને મોટ કરવામાં આવશે અને પછી કોવિડ-19ના ટેસ્ટિંગ પ્રોટોકૉલ માટે સંપર્ક કરવામાં આવશે. જો પ્રોટોકૉલ હેઠળ તમારે ટેસ્ટિંગની જરૂર હશે તો પછી સરકાર તરફથી અદિકૃત લેબમાં જ તમારુ ટેસ્ટિંગ થશે.'












Click it and Unblock the Notifications
