આસામમાં પૂરથી 26 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત, 89ના મોત
પૂર્વોત્તર રાજ્ય અસમમાં પૂરથી ઘણી ખરાબ સ્થિતિ છે અને 26થી વધુ જિલ્લા પ્રભાવિત છે.
પૂર્વોત્તર રાજ્ય અસમમાં પૂરથી ઘણી ખરાબ સ્થિતિ છે અને 26થી વધુ જિલ્લા પ્રભાવિત છે. રાજ્યમાં 22 જુલાઈ સુધી પૂરના કારણે 89 લોકોના મોત થઈ ગયા છે. આ માહિતી અસમ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ASDMA) એ આપી છે. એએસડીએમડીના પૂર માટે જારી રિપોર્ટ અનુસાર બુધવાર સુધી બારપેટા, દિબ્રુગઢ, કોકરાઝાર, તિનસુકિયા સહિત ઘણા જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આ સાથે જ પ્રભાવિત લોકોની સંખ્યા 26,31,343 છે.

2,525 ગામો ફરીથી પ્રભાવિત
બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના વધતા જળ સ્તરના કારણે 2,525 ગામો ફરીથી પ્રભાવિત થઈ રહ્યા છે. જેના કારણે 1,15,515.25 હેક્ટર પાક પ્રભાવિત થયો છે. પ્રભાગીય વન અધિકારી, પૂર્વ અસમ વન્યજીવન પ્રભાગ અનુસાર, પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્ક પાસે 120 જાનવરોના અત્યાર સુધી મોત થઈ ગયા છે. વળી, 147ને રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યા છે. કાઝીરંગામાં પાણી ભરાઈ જવાના કારણે અહીંના ઘણા જાનવર રસ્તો પાર કરીને ઉંચા સ્થળો તરફ જતા દેખાયા છે. આ સાથે જ અત્યાર સુધી 391 રાહત શિબિરોના માધ્યમથી 45,281 લોકોની મદદ કરવામાં આવી ચૂકી છે.

346 કરોડ રૂપિયાની રાહત રકમની ઘોષણા
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ (એસડીઆરએફ), રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ(એનડીઆરએફ) સર્કલ ઑફિસ અને સ્થાનિક લોકોએ અત્યાર સુધી 452 લોકોને પણ નુકશાન પહોંચાડ્યુ છે. બુધવારે જ કેન્દ્રએ પહેલા તબક્કામાં પૂર મેેનેજમેન્ટ કાર્યક્રમ (એફમપી) યોજના હેઠળ 346 કરોડ રૂપિયાની રાહત રકમની ઘોષણા કરી છે.

ભૂટાન સાથે પણ વાતચીત કરવામાં આવશે
આ સાથે જ રાજ્યના નીચાણવાળા ભાગોમાં પૂરની સમસ્યાને ઉકેલવા માટે ભૂટાન સાથે પણ વાતચીત કરવામાં આવશે. આ કેસમાં અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી બેઠક પણ કરી છે. જેમાં તેમણે રાજ્યની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપી છે.
આજે 'મણિપુર જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા રાખશે પીએમ મોદી












Click it and Unblock the Notifications
