આજે 'મણિપુર જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા રાખશે પીએમ મોદી, જાણો 5 મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મણિપુર 'જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા મૂકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મણિપુર 'જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા મૂકશે. કાર્યક્રમ સવારે 10.30 વાગે શરૂ થશે. કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ આ વિશે ટ્વિટ કરીને કહ્યુ કે આ પરિયોજના 'હર ઘર જલ'ના અમારા મિશનને પ્રોત્સાહન આપશે અને મણિપુરના લોકોને આનાથી ફાયદો થશે. કેન્દ્ર સરકારે આ પરિયોજના હેઠળ મણિપુરના લોકો માટે ઘરેલુ નળ કનેક્શન દ્વારા સાફ પીવાના પાણીની વ્યવસ્થાનુ લક્ષ્ય રાખ્યુ છે.

'2024 સુધી હર ઘર જલ'
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 'હર ઘર જલ'નો નારો આપીને 2024 સુધી ગ્રામીણ વિસ્તારોના બધા ઘરો સુધી સાફ અને પૂરતુ પાણી પહોંચાડવા માટે 'જળ જીવન મિશન'ની શરૂઆત કરી હતી. આ હેઠળ આજે મણિપુર જલાપૂર્તિ પરિયોજનાની શરૂઆત થવા જઈ રહી છે. આવો જાણીએ આ પરિયોજના વિશે પાંચ મોટી વાતો.

શું છે પરિયોજનાનુ લક્ષ્ય
1. 'મણિપુર જલાપૂર્તિ પરિયોજના' એક બાહ્ય નાણા પોષિત પરિયોજના છે. આ પરિયોજનાનુ લક્ષ્ય મણિપુરના 16 જિલ્લાઓમાં 2,80,756 ઘરોને કવર કરીને ગ્રેટર ઈમ્ફાલ યોજના વચ્ચે થયેલ ક્ષેત્ર, 25 શહેરો અને 1731 ગ્રામીણ વસ્તીઓ માટે તાજુ સાફ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઘરેલુ નળ કનેક્શનની વ્યવસ્થા કરવાનુ છે.
2. કેન્દ્ર સરકારે આ પરિયોજના માટે જળ જીવન મિશન હેઠળ મણિપુરની 1185 વસ્તીઓ અને 1,42,749 ઘરો સુધી સાફ પાણીના ઘરેલુ નળ કનેક્શન પહોંચાડવા માટે રકમ આપી છે.

પરિયોજનાની કિંમત લગભગ 3054.58 કરોડ રૂપિયા
3. આ પરિયોજના વર્ષ 2024 સુધી મણિપુર સરકારના 'હર ઘર જલ'ના લક્ષ્યને મેળવવાની કોશિશનો એક મહત્વનો ભાગ છે.
4. આ પરિયોજનાની કિંમત લગભગ 3054.58 કરોડ રૂપિયા છે જેમાં ન્યૂ ડેવલમેન્ટ બેંક તરફથી જારી લોન પણ ફંડનો એક હિસ્સો છે.
5. પરિયોજનની આધારશિલા રાખવા દરમિયાન મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બીરેન સિંહ અને તેમના કેબિનેટ ઉપરાંત રાજ્યના ઘણા સાંસદ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
