Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત
Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં તોફાન નિસર્ગ બાદ ત્યાં ભારે તબાહી મચી છે. આ તોફાનને કારણે પુણેમાં બે લોકોના મોત થયાં છે જ્યારે મહારાષ્ટ્ર વવિધ વિસ્તારોમાં ત્રણ લોકોના મોત થયાં છે. કેટલાય જાનવરો પણ આ વાવાઝોડાના લપેટામાં આવી ચૂક્યા છે. આ તબાહીથી લોકોને પણ ઘણું નુકસાન થયું છે. કેટલીય જગ્યાએ ઝાડ, વીજળીના થાંભલા પડી ગયા છે, ઘરોને નુકસાન થવાના અહેવાલ મળ્યા છે. જો કે આ તોફાને મુંબઈમાં બહુ નુકસાન નથી પહોંચાડ્યું.

મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના
તોફાન નિસર્ગ મુંબઈ તટથી ટકરાઈને કમજોર પડી ગયું છે. તેણે મુંબઈમાં કોઈ મોટું નુકસાન નથી પહંચાડ્યું. જો કે તોફાનના કારણે 3 લોકોના મોત થયાં છે. જેમાંથી બે લોકોના મોત પુણેમાં થાં છે. આ તફાનના કારણે મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.

નિસર્ગના કારણે મહારા્ટ્રમાં 3નાં મોત
ચક્રવાત નિસર્ગ બુધવારે મુંબઈ નજીક પહોંચ્યું પરંતુ મુંબઈને આ વાવાઝોડાએ પ્રભાવિત નથી કર્યું અને સાંજે તે કમજોર પડી ગયું. આ તોફાનના કારણે અત્યાર સુધીમાં 3 લોકના મોત થયાં છે. નિસર્ગને પગલે 3 જૂનના રોજ પુણે જિલ્લામાં બે લોકોના મોત થયાં છે. જ્યારે બે જાનવર પણ તોફાનના લપેટામાં આવી ચૂક્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.
પુણેના ડેપ્યૂટી કલેક્ટર જયશ્રી કટારેએ જણાવ્યું કે નિસર્ગ તફાનના કારણે શહેરમાં કેટલીય જગ્યાએ વિજ સેવા બાધિત થઈ ગઈ છે. ઝાડ અને વીજળીના થાભલા પડવાના કારણે રસ્તા બ્લૉક થઈ ગયા છે. મુલશી તાલુકામાં વીજળીના ઝાટકાના કારણે બે જાનવરોના પણ મોત થયાં છે. પુણેના ખેડ તાલુકામાં ઘરની દીવાર પડતાં 65 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે મહારાષ્ટ્રના રાયગઢના અલીબાગ વિસ્તારમાં વીજળીનો થાંભલો પડી જતાં 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.

ગુજરાતમાં સ્થિતિ નિયંત્રિત
ગુજરાત આ તોફાનથી બચી ગયું છે. ગુજરાતના રાહત અધિકારી હર્ષદ પટેલે જાણકારી આપતા કહ્યું કે અરબી સમુદ્ર પાસે આવેલ વલસાડ અને નવસારી જિલ્લામાં હવાની ગતી સામાન્ય રહી. આ તોફાનના કારણે ગુજરાતમાં કોઈ ભારે તબાહીના અહેવાલ નથી. કોઈ અપ્રિય ઘટનાની સૂચના નથી મળી. સાઈક્લોનના કારણે વલસાડ અને નવસારીમાં બે મિલીમીટર અને સાત મિલીમીટર જેટલો વરસાદ થયો છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
