For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંદમાન નિકોબારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

બંગાળની ખાડીમાં આવેલ ભારતીય દ્વીપ અંદમાન અને નિકોબારમાં મંગળવારે મોડી રાતે ભૂકંના ઝટકા અનુભવાયા.

|
Google Oneindia Gujarati News

છેલ્લા બે મહિનાથી ભૂકંપના ઝટકા વારંવાર આવી રહ્યા છે. દિલ્લી, હરિયાણા, નોઈડા, ઉત્તરાખંડ સહિત દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. કાલે દિલ્લીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા તો આજે અંદમાન નિકોબારમાં ધરતી કાંપવા લાગી.

earthquake

બંગાળની ખાડીમાં આવેલ ભારતીય દ્વીપ અંદમાન અને નિકોબારમાં મંગળવારે મોડી રાતે ભૂકંના ઝટકા અનુભવાયા. માહિતી અનુસાર ભૂકંપ દિગલીપુરથી 110 કિલોમીટર નૉર્થ-વેસ્ટમાં આવ્યો છે. વળી, ભૂકંપનુ કેન્દ્ર સપાટીથી 50 કિમી નીચે જણાવાઈ રહ્યુ છે. આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના જણાવ્યા મુજબ આ ભૂકંપના ઝટકા મંગળવારે મોડી રાતે 2 વાગીને 17 મિનિટે આવ્યા. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી દેશના અલગ અલગ ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યો છે.

વાસ્તવમાં ભૂકંપ ત્યારે આવે છે જ્યારે ધરતીની અંદર પ્લેટ્સ ટકરાય છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ પરસ્પર ટકરાય ત્યારે ફૉલ્ટ લાઈન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીના ખૂણા વળવાના કારણે ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ તૂટવા લાગે છે. આ પ્લેટ્સના તૂટવાથી અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે જેના કારણે ધરતી હલે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

COVID 19 Update in Gujarati: ભારતમાં કોરોના વાયરસના 266,598 કેસ, 7471ના મોતCOVID 19 Update in Gujarati: ભારતમાં કોરોના વાયરસના 266,598 કેસ, 7471ના મોત

English summary
4.3 Richter Scale magnitude of earthquake hit 110 km north west of Diglipur in Andaman and Nicobar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X