For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં હાજત બાદ સાબુથી હાથ સાફ કરનારા માત્ર 53 ટકા

|
Google Oneindia Gujarati News

unicef-hand-wash-with-soap-in-india
નવી દિલ્હી, 16 ઑક્ટોબર : ભારતમાં વસતા લોકોમાં સ્વચ્છતા ખાસ કરીને શારીરિક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની જરૂર છે એમ યુનિસેફનું કહેવું છે. યુનિસેફ દ્વારા ભારતમાં સ્વચ્છતા અંગેના કેટલાક આંક બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ ભારતમાં કુદરતી હાજતે ગયા બાદ આજે પણ માત્ર 53 ટકા લોકો સાબુથી હાથ સાફ કરે છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર "પાંચ વર્ષ કે તેથી નાની વયના બાળકોમાં ડાયેરિયા એટલે કે ઝાડા અને ન્યુમોનિયા બે પ્રાણઘાતક રોગ છે. ભારતમાં દૈનિક 1000 જેટલા બાળકો ઝાડા થવાને કારણે મૃત્યુ પામે છે. એક સર્વે મુજબ હાજતે ગયા બાદ અને ભોજન લેતા પહેલા સાબુથી હાથ સાફ કરવામાં આવે તો ઝાડા થવાની શક્યતા 40 ટકા અને અન્ય શ્વાસ સંબંધિત રોગ થવાની સંભાવના 30 ટકા ઘટે છે."

યુનિસેફે જણાવ્યું કે ભારતમાં સાબુથી હાથ સાફ કરવાનું ચલણ ઓછું છે. પબ્લિક હેલ્થ એસોસિએશનના આંકડા અનુસાર ભારતમાં કુદરતી હાજતે ગયા બાદ માત્ર 53 ટકા લોકો સાબુથી હાથ સાફ કરે છે. માત્ર 38 ટકા લોકો જમતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે. જ્યારે માત્ર 30 ટકા લોકો બોજન બનાવવાનું શરૂ કરતા પહેલા સાબુથી હાથ સાફ કરે છે.

English summary
Only 53 percent Indian wash hands with soap after defecation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X