કેન્દ્રીય નોકરીઓમાં 6.84 લાખ જગ્યા ખાલી, આગલા 1 વર્ષમાં મળશે 2.5 લાખ નોકરી
કેન્દ્રીય નોકરીઓમાં 6.84 લાખ જગ્યા ખાલી, આગલા 1 વર્ષમાં મળશે 2.5 લાખ નોકરી
નવી દિલ્હીઃ મોદી સરકારે માન્યું કે કેન્દ્ર સરકારના વિભાગોમાં લગભગ સાત લાખ પદ ખાલી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં એક સવાલના લેખિત જવાબમાં આ આંકડા જણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે આગામી એક વર્ષમાં 1 લાખથી વધુ ખાલી જગ્યા પર નિયુક્તિ કરવાની યોજના છે. આ ઉપરાંત તેમણે રેલવેમાં દોઢ લાખથી વધુ પદો પર થનાર નિયુક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે.
1 માર્ચ 2018 સુધીના આંકડા
દેશમાં નોકરીઓનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા જોરશોરથી ઉઠાવવાાં આવ્યો હતો. બુધવારે પર્સનલ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે સંસદમાં પૂછેલ એક સવાલનો લેખિત જવાબ આપ્યો કે કેન્દ્ર સરકારના વિભાગોમાં કુલ 38.2 લાખ સેંક્શન્ડ પોસ્ટ છે, જેમાંથી 1 માર્ચ 2019 સુધી માત્ર 31.18 લાખ પદ જ ભરવામાં આવ્યાં હતાં. એટલે કે 6.84 લાખ પદ હજુ પણ ખાલી છે.
આ કારણે સરકારી પદ ખાલી હોય છે
જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં રિટાયરમેન્ટ, નિધન, પ્રમોશન વગેરેને પગલે ખાલી થાય છે અને આ પદ મંત્રાલય, વિભાગો અથવા સંગઠનો દ્વારા સંબંધિત ભર્તીના નિયમો અંતર્ગત ભરવામાં આવે છે. તેમણે કહ્યું કે ખાલી પદો પર ભર્તી સતત ચાલનારી એક પ્રક્રિય છે, જે એ વર્ષના મંત્રાલયો અથવા વિભાગોમાં પદ ખાલી થવા પર નિર્ભર કરે છે, જેને ભર્તી એજેન્સીઓ પૂરી કરે છે.
વર્ષમાં 2.5 લાખથી વધુ સરકારી નોકરી
એક અલગ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે 2019 અને 2020માં વિવિધ મંત્રાલયો દ્વારા 1,03,266 પદો પર નિયુક્તિની યોજના કરી છે. આના માટે સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઉપરાંત રેલવે બોર્ડે 2018-19માં 5 સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન્સ જાહેર કર્યાં છે, જે અંતર્ગત નવા અને આગલા બે વર્ષમાં ખાલી થનાર સંભવિત 1,56,138 પદો પર નિયુક્તિ થનાર છે.
NCR: આસામમાં 1.2 લાખ લોકોની મુશ્કેલી વધી, નાગરિકતા સાબિત કરવી પડશે