યુપીઃ અમેઠીમાં છ લોકોએ ભાજપના બૂથ અધ્યક્ષની મારી-મારીને કરી દીધી હત્યા

અમેઠીના સંગ્રામપુરના ભીથરી ગામમાં કેટલાક બદમાશોએ ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખને માર માર્યો હતો. મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે બે બાઇક પર સવાર 6 બદમાશોએ બીજેપી બૂથ પ્રમુખ પર હુમલો કર્યો અને તેમને લાકડીઓ વડે ઢોર માર માર્યો.

અહેવાલો અનુસાર, બીજેપીના બૂથ પ્રમુખ દિનેશ સિંહ મંગળવારે સાંજે બાઇક પર ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ભીથરી નજીક બદમાશોએ તેને ઘેરી લીધા હતા. તે કંઈ સમજે તે પહેલા આ બદમાશોએ તેમને ઢોર માર માર્યો હતો. આ પછી સ્થાનિક લોકો તેમને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમનું મૃત્યુ થયું.

murder

મળતી માહિતી મુજબ, અત્યાર સુધી દિનેશ સિંહના સંબંધીઓએ આ મામલે પોલીસને કોઈ માહિતી આપી નથી. વળી, એસએચઓ નિર્મલ સિંહે કહ્યું કે બદમાશોની શોધ કરવામાં આવી રહી છે, તેઓ જલ્દી પકડાઈ જશે.

દિનેશ સિંહને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. દિનેશ સિંહના પરિવારજનો અને ગામના લોકો કહેવું છે કે દિનેશ સિંહે અગાઉ ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

દિનેશ સિંહના ભાઈ સહદેવ સિંહની પણ થોડા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં દિનેશ સિંહ સાક્ષી હતા, પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે દિનેશ સિંહ ભાજપના સક્રિય કાર્યકર અને બૂથ પ્રમુખ પણ હતા.

બદમાશોએ જે રીતે તેની હત્યા કરી તે પછી ગામમાં શોકનું વાતાવરણ છે. મંડળના પ્રમુખ અજય તિવારીએ દિનેશ બૂથના પ્રમુખ હોવાની પુષ્ટિ કરી છે. મીડિયા પ્રભારી ચંદ્રમૌલી સિંહે જણાવ્યું કે તેઓ મામલાની માહિતી મેળવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X