60 ખાતા ધારકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ: અરૂણ જેટલી
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: કાળા નાણા ધારકોની નવી સૂચિ મીડિયામાં આવ્યા બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કાળા નાણા ધારકોના 60 ખાતાઓની ખરાઇ કરી લેવામાં આવી છે. જેમની વિરુદ્ધ આવક વિભાગ તરફથી સ્વતંત્ર તપાસ શરૂ કરી લેવામાં આવી છે.



જે ખાતાઓનો ખુલાસો થયો છે તેમાં એચએસબીસી બેંકની જેનેવા શાખામાં હાલના 628 ભારતીય ખાતા ધારકોના નામો સામેલ છે, અને આ સૂચિ ભારતને ફ્રાંસ દ્વારા મળી હતી. સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી એસઆઇટીની રિપોર્ટ અનુસાર, તેમાંથી 289 ખાતા બિલકૂલ ખાલી છે અને તેમાં કોઇ પણ ધનરાશિ નથી.












Click it and Unblock the Notifications
