સીતાપુરઃ કાર્પેટ ફેક્ટરીમાં ગેસ લીકેજ, શ્વાસ રુંધાવાથી 7ના મોત
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક કાર્પેટ ફેક્ટરીમાં ગેસ લીકેજ થઈ ગયુ. શ્વાસ રુંધાવાના કારણે ફેક્ટરીમાં હાજર સાત લોકોના મોત થઈ ગયા.
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક કાર્પેટ ફેક્ટરીમાં ગેસ લીકેજ થઈ ગયુ. શ્વાસ રુંધાવાના કારણે ફેક્ટરીમાં હાજર સાત લોકોના મોત થઈ ગયા. મૃતકોમાં 2 યુવક, 2 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે. ઘટનાની સૂચના મળતા પોલિસ-પ્રશાસન દોડતુ થઈ ગયુ. વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે. પોલિસના અધિકારીઓ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. એરિયા ઈનચાર્જ અજય રાવતે સાત મોતની પુષ્ટિ કરી છે.

ઘટના સીતાપુરના બિસવાં પોલિસ સ્ટેશન વિસ્તાર જલાલપુરની છે. માહિતી મુજબ કાર્પેટ ફેક્ટરીમાં રંગકામ માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગેસ લીકેજ થયો અને શ્વાસ રુંધાવા કારણે સાત લોકોના મોત થઈ ગયા. ઘટનાની સૂચના મળતા પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.












Click it and Unblock the Notifications
