For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં અત્યાર સુધી રિકવર થઈ ચૂક્યા છે 95,527 કોરોના દર્દી, રિકવરી દર 48.07%

કોરોનાના વધતા સંક્રમણ વિશે આરોગ્ય મંત્રાલય તરફથી બુલેટિન જારી કરવામાં આવ્યુ. વાંચો વિગત...

|
Google Oneindia Gujarati News

કોરોનાના વધતા સંક્રમણ વિશે આરોગ્ય મંત્રાલય તરફથી બુલેટિન જારી કરવામાં આવ્યુ. આરોગ્ય મંત્રાલલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 95,527 દર્દી અત્યાર સુધી પૂર્ણ રીતે રિકવર થઈ ચૂક્યા છે અને ભારતમાં રિકવરી દર હવે 48.07% પર છે જે ઘણો સંતોષજનક છે.

lavagrawal

તેમણે કહ્યુ કે આપણા દેશમાં કોરોનાથી થતો મૃત્યુદર 2.82% છે જે દુનિયામાં સૌથી ઓછો છે. તેમણે કહ્યુ કે ભારતની કોવિડ-19 સાથે જોડાયેલી 50% વસ્તી માટે ભારતની વસ્તીનો 10% ભાગ જોડાયેલો છે. લવ અગ્રવાલે જણાવ્યુ કે કોરોના વાયરસથી મરનારામાં 73 ટકા લોકોને પહેલેથી જ બીજી બિમારીઓ હતી.

વળી, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિક નિવેદિતા ગુપ્તાએ જણાવ્યુ કે આપણી પાસે 681 પ્રયોગશાળાઓ છે જ્યાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આમાં 1 જૂન સુધી સરકારી ક્ષેત્રમાં 476 અને ખાનગી ક્ષેત્રમાં 205 ટેસ્ટિંગ લેબ શામેલ છે અને જ્યાં આપણે રોજ 1 લાખ 20 હજાર કોરોના વાયરસની તપાસ કરી રહ્યા છે. આપણે સ્વદેશી પ્લેટફોર્મનો ઉપયોગ રેંપિંગ માટે પણ કરી રહ્યા છે #COVID19 પરીક્ષણ ક્ષમતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાઓમાં ઉપલબ્ધ થયા બાદથી પરીક્ષણની સીમા વધારી દેવામાં આવી છે.

રાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કારરાજકોટઃ 17 વર્ષના કિશોરે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર

English summary
95,527 Coronavirus patients have recovered. The recovery rate is now 48.07% : Lav Agrawal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X