9700 'દામિની' જોઇ રહી છે ન્યાયની રાહ
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: દિલ્હીના વસંત વિહારના 'દામિની રેપ કાંડ' કેસમાં ભલે શુક્રવારે કોર્ટે આરોપીને સજા સંભળાવે, પરંતુ રાજધાનીને અડીને આવેલા આ વિસ્તારમાં આજે પણ 9700 'દામિની' ન્યાય માટે નજરો માંડીને બેઠી છે.
વસંત વિહાર રેપ કેસ બાદ બળાત્કારના કેસની સુનાવણી માટે સાત અલગ કોર્ટ બનાવવામાં આવી. તંત્રના આદેશ અનુસાર બળાત્કારની કેસની સુનાવણી આ કોર્ટમાં ચાલી રહી છે. તેની અસર એવી થઇ કે વર્ષોથી પેન્ડિંગ કેસોની સુનાવણીમાં અત્યારે તેજી આવી છે. એક વર્ષમાં ગાજિયાબાદ કોર્ટમાં 200થી વધુ મામલાઓમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
16 ડિસેમ્બર 2012ના રોજ વસંત વિહાર વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ યુપી સરકારના આદેશ પર ગાજિયાબાદમાં ચાલી રહેલા બળાત્કાર સંબંધિત બધા કેસ (નિઠારી કાંડને છોડીને) સાત કોર્ટમાં ટ્રાન્સફર કરી દિધા છે.
સરકારે આદેશ આપ્યો હતો કે આ કેસની સુનાવણી પ્રાથમિક આધારે કરતાં જલદીમાં જલદીમાં નિરાકરણ કરવામાં આવે. ત્યારથી આ કોર્ટ એક પછી એક ઘણા કેસોમાં પોતાનો ચુકાદો આપીને આરોપીઓને જેલના સળિયાની પાછળ પહોંચાડી દિધા છે. સરકારી સ્તરે પણ બળાત્કાર કાંડ સંબંધી સુનાવણીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.