મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, જાતી આધારીત નામ વાળી વસાહતોના બદલાશે નામ
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળે બુધવારે રાજ્યની રહેણાંક વસાહતો અંગે મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર કેબિનેટે તમામ રહેણાંક વસાહતોનું નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી, જે જાતિના નામ પર છે. આ સિવાય સરકારે 2019 માં વિરોધ દરમિય
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળે બુધવારે રાજ્યની રહેણાંક વસાહતો અંગે મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્ર કેબિનેટે તમામ રહેણાંક વસાહતોનું નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી, જે જાતિના નામ પર છે. આ સિવાય સરકારે 2019 માં વિરોધ દરમિયાન લોકો વિરુદ્ધ દાખલ મુકદ્દમા પાછા લેવાની જાહેરાત કરી છે.
બુધવારે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક મળી. આ સિવાય સરકારે કહ્યું છે કે ડિસેમ્બર 2019 સુધીના રાજકીય અને સામાજિક વિરોધ અને આંદોલનને લગતા તમામ કોર્ટ કેસ પાછા ખેંચવામાં આવશે. આ સાથે, બુધવારે મહારાષ્ટ્ર કેબિનેટે કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને રાજ્યના વિધાનસભાના આગામી શિયાળુ સત્રનું સ્થળ નાગપુરથી મુંબઇ ખસેડવાનો નિર્ણય કર્યો છે. 7 ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થયેલું સત્ર હવે મુંબઇમાં 2 થી 3 દિવસ માટે યોજાઈ શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આયોજિત બેઠકમાં નાગપુરને બદલે મુંબઈમાં શિયાળુ સત્ર યોજવા અંગેની બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીમંડળે કર્મચારીઓને આર્થિક સહાય આપવા માટે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી) ને રૂ.1000 કરોડની આર્થિક સહાયને મંજૂરી આપી છે.
મહારાષ્ટ્ર સરકારે ઓક્ટોબર મહિનામાં એમએસઆરટીસી કર્મચારીઓના પગાર ચૂકવવા આકસ્મિક ભંડોળમાંથી રૂ. 120 કરોડની એડવાન્સ લીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રૂ .880 કરોડની રકમ છ મહિનામાં પગાર ભથ્થા તરીકે એમએસઆરટીસીને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: દેશના બધા પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે ઓડીયો રેકોર્ડીંગ સાથે સીસીટીવી કેમેરા: સુપ્રીમ કોર્ટ