ગેલવાન ખીણમાં ચીની કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત નીપજ્યું - સુત્ર

લદ્દાખમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે વિવાદો સતત વધી રહ્યા છે. દરમિયાન, 15-16 જૂનની રાત્રે ગેલવાન ખીણમાં ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર સહિત

લદ્દાખમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે વિવાદો સતત વધી રહ્યા છે. દરમિયાન, 15-16 જૂનની રાત્રે ગેલવાન ખીણમાં ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. આ સાથે 40 ચીની સૈનિકોનાં પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા ચીની સૈનિકોમાં તેનો કમાન્ડિંગ ઓફિસર પણ હતો.

India - China

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ગાલવાન ખીણમાં અથડામણ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર ચીની તરફથી સામેલ હતો. આ ઘટનામાં તેમનું પણ મોત નીપજ્યું હતું. મોટી સંખ્યામાં હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સ ચીની તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે મોટી સંખ્યામાં ચીની સૈનિકો માર્યા ગયા છે. હાલમાં, ચીન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર સરહદ ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન, ચીની સૈનિકોએ તેમના પર કપટથી હુમલો કર્યો. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, અથડામણમાં ઘાયલ થયેલા ચાર જવાનોની હાલત ગંભીર છે. આ ચારેય જવાનોની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની હાલત ખૂબ જ સંવેદનશીલ છે અને તેઓની હાલત ગંભીર છે. 1975 પછી આ પહેલીવાર છે જ્યારે ચીનની સરહદ પરના અથડામણમાં જવાનોના મોત થયા છે.

આ પણ વાંચો: Inside Story: જાણો ચીની સેનાએ ભારતીય સેના પર હુમલો કેમ કર્યો, માત્ર 5 કિમીને લઇ બબાલ થયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X