Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં PM આવાસને ઘેરશે આપ કાર્યકર્તા, આ રસ્તાઓ થશે જામ

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાલમાં જ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે આનો વિરોધ નોંધાવવા માટે આમ આદમી પાર્ટી (AAP) આજે PMના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે તેણે આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી નથી.

આ દરમિયાન, દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજે એટલે કે મંગળવારે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

AAP protest

એડવાઈઝરી અનુસાર, ખાસ કાયદો અને વ્યવસ્થાના કારણે મંગળવારે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "નવી દિલ્હી વિસ્તારમાં સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે, તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોકોને સામાન્ય પ્રવેશ આપવામાં આવશે નહીં, ઉપરોક્ત રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો દૂર કરવામાં આવશે અને અયોગ્ય પાર્કિંગ અને કાયદાકીય સૂચનાના અનાદર બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ધ્યાનમાં લઈએ તો આજે દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી શકે છે. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર નવી દિલ્હીના ઘણા માર્ગો પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. જો જરૂરી હોય તો કેટલાક મેટ્રો સ્ટેશન બંધ પણ કરી શકવામાં આવી શકે છે.

પટેલ ચોક, ઉદ્યોગ ભવન, કેન્દ્રીય સચિવાલય, લોક કલ્યાણ માર્ગ એવા મેટ્રો સ્ટેશન છે જેને બંધ કરી શકાય છે. AAPની પ્રેસ રિલીઝ મુજબ, કાર્યકરો સવારે 10 વાગ્યે પટેલ ચોક મેટ્રો સ્ટેશન પાસે એકઠા થશે. ત્યાંથી તે પીએમ આવાસનો ઘેરાવ કરવા માટે રવાના થશે.

કયા રુટ્સ પરથી ન જવુ

કેમલ અતાતુર્ક રોડ
સફદરજંગ રોડ
અકબર રોડ
તીન મૂર્તિ રોડ

દિલ્હી ટ્રાફિક પોલીસે ઉપરોક્ત રસ્તાઓને ટાળીને/બાયપાસ કરીને અને સલામતી સુનિશ્ચિત કરવા માટે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરીને સહકાર આપવાની સલાહ આપી છે. ISBT/રેલ્વે સ્ટેશન/ઇન્દિરા ગાંધી એરપોર્ટ તરફ જતા લોકોને પૂરતા સમય સાથે ઘર છોડવાની સલાહ આપવામાં આવે છે.

ડાયવર્ઝન

અરબિંદો ચોક
તુગલક રોડ
સમ્રાટ હોટેલ
જીમખાના પોસ્ટ ઓફિસ
તીન મૂર્તિ હાઈફા સર્કલૌ
નીતિ માર્ગ
કૌટિલ્ય માર્ગ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X