ભાજપે કેજરીવાલને મારવાનુ ષડયંત્ર રચ્યુ, મનોજ તિવારી છે આમાં સામેલઃ AAPનો આરોપ
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પક્ષએ ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાનુ ષડયંત્ર રચ્યુ છે અને દિલ્લીના સાંસદ મનોજ તિવારી આમાં સામેલ છે. મનીષ સિસોદિયાએ કહ્યુ કે પરંતુ આમ આદમી પાર્ટી(આપ) આવી હીન પ્રકારની રાજનીતિથી ડરતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્લીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ પોલીસ કમિશ્નરને આરોપોનુ સંજ્ઞાન લેવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઉપરાજ્યપાલે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓના ટ્વીટ અને નિવેદનોની નોંધ લીધી છે અને પોલીસ કમિશ્નરને આવી ઘટના ન બને તેની ખાતરી કરવા જણાવ્યુ છે.
મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ, 'ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવાનુ કાવતરુ ઘડી રહ્યુ છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને અરવિંદજી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યુ છે. આમ આદમી પાર્ટી તેમની આવી હીન પ્રકારની રાજનીતિથી ડરતી નથી. હવે જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.'
गुजरात व MCD चुनाव मे हार के डर से बौखलाई BJP @ArvindKejriwal की हत्या की साजिश रच रही है
— Manish Sisodia (@msisodia) November 24, 2022
इनके सांसद मनोज तिवारी खुलेआम अपने गुंडो को अरविंद जी पर हमला करने के लिए कह रहे है और इसकी पूरी प्लानिंग कर ली है
AAP इनकी टुच्ची राजनीति से नही डरती,इनके गुंडागर्दी का जबाव अब जनता देगी
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
