આરુષિ મર્ડરઃ નુપુરને બચાવી રહ્યા'તા CBIના ટોપ ઓફિસર
ઉલટ તપાસ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે નુપુર તલવારની ધરપકડ કેમ ના કરી, તો તેમણે જણાવ્યું, ' હું નુપુર તલવારની ધરપકડ કરવા માગતો હતો પરંતુ મારા વરિષ્ઠ અધિકારી એસપી નીલાભ કિશોરે મને તેની પરવાનગી આપી નહોતી.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો કૌલે કહ્યું કે તે મારા વરિષ્ઠ હતા અને જો તેમણે પરવાનગી ના આપી તો ધરપકડ થઇ શકે તેમ નહોતી. કૌલે કહ્યું કે મેજિસ્ટ્રેટને સોંપવામાં આવેલી ક્લોઝર રિપોર્ટમાં નુપુર તલવારની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
એજીએલ કૌલે જણાવ્યું કે, વિવેચના દરમિયાન ઉપલબ્ધ સાક્ષ્ય અને સામાનના આધાર પર જ નુપુર તલવારની ધરપકડ થઇ શકે તેમ હતી. તેમણે જણાવ્યું કે, હું નુપુરની ધરપકડ કરીને પૂછપરછ કરવા માગતો હતો પરંતુ મારા વરિષ્ઠ અધિકારીએ મને ના પાડી દીધી. એ કહેવુ યોગ્ય છે કે અંતિમ રિપોર્ટમાં મે નુપુર તલવારનુ નામ આરોપીની કોલમના નથી દેખાડ્યું, પરંતુ અંતિમ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુન્હો બન્ને આરોપીએ મળીને કર્યો. નોંધનીય છે કે, હેમરાજ અને આરુષિની હત્યા બાદ નુપુર તલવારે બધા પુરાવા નષ્ટ કરી નાંખ્યા હતા.
આરુષિ હેમરાજ સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી તેથી નુપુરે તેના પ્રાઇવેટ પાર્ટ સાફ કરી દીધા અને તેનુ લોઅર ચેન્જ કરી નાખ્યું હતું. તમને જણાવી દઇએ કે 15-16 મેની એ રાતની આખી કહાણી સીબીઆઇના વકીલે ઉલટ તપાસ દરમિયાન કોર્ટમાં સંભળાવી છે, તેથી હવે જે પણ તથ્ય સામે આવ્યા છે, તે સીબીઆઇની કહાણી છે. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.