મહાત્મા ગાંધી મુદ્દે બફાટ કરનારા અભિજીત ભટ્ટાચાર્યને કોંગ્રેસે લતાડ્યા, જાણો શું કહ્યું
Abhijeet Bhattacharya On Mahatma Gandhi : બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્ય હાલ તેના બફાટને લઈને ચર્ચામાં છે. મહાત્મા ગાંધી વિશે હલકી કક્ષાની ટિપ્પણી કરનારા અભિજીત ભટ્ટાચાર્યને કોંગ્રેસે તેની ભાષામાં જવાબ આપ્યો છે.
અભિજીત ભટ્ટાચાર્યએ હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઝેર ઓક્યુ હતું. આ નિવેદન બાદ હવે લોકો તેના પર થુથુ કરી રહ્યાં છે.

પત્રકાર શુભંકર મિશ્રા સાથે પોડકાસ્ટમાં અભિજીત ભટ્ટાચાર્યએ સંગીતકાર આરડી બર્મન વિશે વાત કરતા કહ્યું કે, પંચમ દા મહાત્મા ગાંધી કરતા મોટા હતા. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, તેવી જ રીતે પંચમ દા સંગીતના રાષ્ટ્રપિતા હતો.
બફાટ કરતા ભટ્ટાચાર્યએ આગળ કહ્યું કે, મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા ન હતા, પરંતુ તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, પંચમ દા (આરડી બર્મન) મહાત્મા ગાંધી કરતાં પણ મહાન હતા, તેઓ રાષ્ટ્રપિતા હતા. મહાત્મા ગાંધીને ભુલથી રાષ્ટ્રપિતા કહી દેવાયા.
જણાવી દઈએ કે, દેશના રાષ્ટ્રપિતા વિશે બફાટ કરનાર અભિજિત ભટ્ટાચાર્યએ આરડી બર્મન સાથે હિન્દી સંગીત ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે સાથે ગીતથી ઓળખ મળી.
હવે કોંગ્રેસે અભિજીત ભટ્ટાચાર્યના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે, મોદીએ ભારતને એવું બનાવી દીધું છે કે દરેક નકામા અને હતાશ વ્યક્તિઓએ સ્વતંત્રતા સેનાનીઓ પર પોતાની હીન ભાવના વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
મોદીએ આવા લોકોને મોઢું ખોલવાની આઝાદી આપી છે, નહીંતર આવા લોકો પર દેશદ્રોહનો આરોપ લાગત. મોદીને કહો કે તેને અપનાવે. આ બધું સત્તામાં રહેલા લોકોના કારણે થઈ રહ્યું છે. તેના મુખમાંથી વિચારો નીકળી રહ્યા છે. આ ભાજપનું ચરિત્ર છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
