પંજાબ સરકારના નિર્દેશો પર ડ્રગ્સની દાણચોરી સામે કાર્યવાહી, એક અઠવાડિયામાં 366 દાણચોરો, 16 ભાગેડુઓ પકડ્યા
પંજાબમાં ભગવંત માનની આપ સરકાર આવ્યા પછી દાણચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પંજાબમાં ભગવંત માનની આપ સરકાર આવ્યા પછી દાણચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ડ્રગ ટ્રાફિકિંગ (NDPS) એક્ટ હેઠળ કુલ 258 કેસ નોંધાયા છે. જેમાં કુલ 366 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોમર્શિયલ જથ્થાના કુલ 28 કેસ, મધ્યમ જથ્થાના 189 અને નાના જથ્થાના 49 કેસ નોંધાયા છે. કોમર્શિયલ જથ્થાને લગતા કેસમાં કુલ 37 મોટા દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે.
આઈજી હેડક્વાર્ટર સુખચૈન સિંહ ગિલે કહ્યુ કે ફિરોઝપુરમાં સૌથી વધુ 25, હોશિયારપુરમાં 19, કપૂરથલામાં 16 કેસ નોંધાયા છે. કોમર્શિયલ જથ્થાના ડ્રગ્સના સૌથી વધુ 5 કેસ હોશિયારપુરમાં નોંધાયા હતા. જ્યારે પટિયાલામાં 2 અને મોહાલીના એસએએસ નગરમાં 2 કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં 8 કિલો હેરોઈન, 7 કિલો અફીણ, 19 ક્વિન્ટલ ભૂકી, એક કિલો ચરસ, 17 કિલો ગાંજો, 2 કિલો માદક પાઉડર અને એક કરોડ 22 લાખ 36 હજાર 290 રૂપિયાની ડ્રગ મની રિકવર કરવામાં આવી છે.
ડ્રગ્સની દાણચોરીના કેસમાં 2 જુલાઇથી શરૂ કરાયેલા સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત છેલ્લા એક સપ્તાહમાં કુલ 15 ભાગેડુઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા કુલ ફરાર લોકોની સંખ્યા 444 પર પહોંચી ગઈ છે. આ સિવાય મેડિકલ ડ્રગ્સના 59,324 યુનિટ જપ્ત કરવામાં આવ્યા છે.