માર્ચમાં મહિનામાં દિલ્હીમાં આંદોલન કરીશું: નિતિશ

nitish-kumar-hand
પટના, બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે કહ્યું હતું કે જે રીતે બિહારના ઇતિહાસ વિના દેશનો ઇતિહાસ લખી ના શકાય તે જ રીતે બિહારના વિકાસ વિના વ્યાપકની કલ્પના પણ ન કરી શકાય. તેમને માર્ચ મહિનામાં દિલ્હીમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. પટનાના ગાંધી મેદાનમાં બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગણી સાથે જનતા દળ (યૂનાઇડેટ) દ્રારા આયોજિત અધિકાર રેલીને સંબોધતા નિતિશ કુમારે કહ્યું હતું કે વિશેષ દરજ્જો બિહારનો હક છે પરંતુ આ મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહ પાસે સમય પણ નથી.

તેમને કહ્યું હતું કે વિધાનસભામાં એક પ્રસ્તાવ રજૂ કરી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી કરી છે. આ સિવાય રાજ્યમાં લગભગ 1.25 કરોડ લોકોની સહીવાળુ યાદીપત્ર સોંપ્યું છે.

નિતિશ કુમારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ટેકનીકલ ખામીને કારણે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જોનો નહી મળ્યો હોવાની વાત કરી છે પરંતુ તાર્કીક આધારે તે આ કારણોને બદલવા માંગતા નથી. તેમને કહ્યું હતું કે બિહાર પર્વતીય રાજ્ય નથી, ના તો સમુદ્રથી ઘેરાયેલુ નથી. જે ખાણ અને પાકૃતિક સંસાધન હતા તે ઝારખંડ જતા રહ્યા. બિહાર પાસે કંઇ હોય તો તે અહીંના મહેનતુ લોકો.

નિતિશ કુમારે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર હજુ પણ બિહારના સાડા દસ કરોડ લોકોનો અવાજ સાંભળતી નથી તો માર્ચ મહિનામં દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X