ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે આદિત્ય ઠાકરે, જાણો શું કહ્યું શિવસેનાએ?
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે.
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધી યાત્રા દ્વારા દેશમાં કોંગ્રેસના ખોલાયેલા જનઆધારને પાછો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પુર્વ મંત્રી આદિક્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

શિવસેના નેતા સચિન આહિરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે, ઠાકરેના વંશજો મરાઠવાડાની મુલાકાતે છે. ભારત જોડો યાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થશે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાનો હેતુ બધાને સાથે લાવવાનો છે. આ સ્થિતિમાં આ યાત્રાને સમાજના દરેક વર્ગ દ્વારા સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં આવી રહી છે તો તેનું સ્વાગત કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આહીર મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા પણ છે.
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા તેના 14 દિવસના રોકાણ દરમિયાન રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારો, મોટાભાગે મરાઠવાડા અને વિદર્ભમાંથી પસાર થશે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
