ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે આદિત્ય ઠાકરે, જાણો શું કહ્યું શિવસેનાએ?
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે.
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધી યાત્રા દ્વારા દેશમાં કોંગ્રેસના ખોલાયેલા જનઆધારને પાછો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પુર્વ મંત્રી આદિક્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
શિવસેના નેતા સચિન આહિરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે, ઠાકરેના વંશજો મરાઠવાડાની મુલાકાતે છે. ભારત જોડો યાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થશે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાનો હેતુ બધાને સાથે લાવવાનો છે. આ સ્થિતિમાં આ યાત્રાને સમાજના દરેક વર્ગ દ્વારા સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં આવી રહી છે તો તેનું સ્વાગત કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આહીર મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા પણ છે.
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા તેના 14 દિવસના રોકાણ દરમિયાન રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારો, મોટાભાગે મરાઠવાડા અને વિદર્ભમાંથી પસાર થશે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ છે.