For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘ સાથેની બેઠક બાદ માની જશે અડવાણી?!

|
Google Oneindia Gujarati News

lk advani
નાગપૂર, 5 જુલાઇ : બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે નાગપૂરમાં સંઘના સહકાર્યવાહક ભૈયાજી જોશીને મળનારા છે. બીજેપીની ગોવા બેઠકથી દૂર રહ્યા બાદ અડવાણીની નાગપૂરમાં સંઘના નેતાઓ સાથેની આ પહેલી મુલાકાત છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ નાગપૂરમાં હાજર રહેશે, પરંતુ હજી સુધી એ નક્કી થઇ શક્યું કે અડવાણી અને ભાગવત વચ્ચે મુલાકાત થશે કે નહીં.

બીજેપીમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને હોબાળો મચેલો છે. બીજેપીમાં એક વર્ગ 2014ની સામાન્ય ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માગે છે, પરંતુ અડવાણી તેના વિરોધી છે. તેમણે મોદીનો વિરોધ કરતા ગોવાની બેઠક દરમિયાન પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું હતું.

ટીકાકારોના માનવા પ્રમાણે અડવાણી પોતે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માંગે છે, પરંતુ તેમને પાર્ટી અને સંઘ તરફથી કોઇ ખાસ સમર્થન નથી મળી રહ્યું. બીજેપી કાર્યકર્તાઓમાં પણ તેમના નામને લઇને જોશ દેખાઇ રહ્યો નથી.

બીજેપીએ 2009ના ચૂંટણી અડવાણીના નેતૃત્વમાં લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. સવાલ એ છે કે આ બેઠક બાદ અડવાણીની નારાજગી કેટલે અંશે દૂર થશે અને તેઓ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે રજૂ કરવા રાજી થશે કે નહીં.

English summary
L K Advani will meet to Mohan bhagavat in nagpur tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X