સોગંદનામાની સોગંદ : મોદી છે ગરીબ, કેજરીવાલ છે અમીર
વારાણસી, 24 એપ્રિલ : 'આપ'ના અરવિંદ કેજરીવાલ વારાણસીમાં તેમના હરીફ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કરતા અમીર છે. કેજરીવાલ અને તેમના પત્નીની સંયુક્ત સંપત્તિ નરેન્દ્ર મોદી કરતા 64 લાખ રૂપિયા જેટલી વધારે છે. વારાણસી બેઠક પરથી કેજરીવાલે 23 એપ્રિલ બુધવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ આજે 24 એપ્રિલ ગુરુવારે બપોરે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.
અરવિંદ કેજરીવાલ અને તેમનાં પત્નીની સંયુક્ત સંપત્તિ કુલ 2.14 કરોડ રૂપિયાની હોવાનું જાહેર થયું છે. સોગંદનામા અનુસાર 158 દિવસોની અંદર કેજરીવાલની સંપત્તિમાં ત્રણ લાખ રૂપિયાનો વધારો થયો છે.
વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામા અનુસાર અત્યારે કેજરીવાલની મિલકતમાં ત્રણ લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. કેજરીવાલ પાસે કુલ 4 લાખ 25 હજાર રૂપિયાની અસ્થાયી અને 92 લાખ રૂપિયાની સ્થાયી સંપત્તિ છે.

કેજરીવાલના પત્ની પાસે કુલ 17 લાખ 41 હજાર રૂપિયાની અસ્થાયી અને 1 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. કેજરીવાલ અને તેમનાં પત્નીનાં બેંક અકાઉન્ટમાં અનુક્રમે 4 લાખ 10 હજાર રૂપિયા અને 1 લાખ 4 હજાર રૂપિયા જમા છે. કેજરીવાલનાં ધર્મપત્ની સુનીતા કેજરીવાલનાં પીએફ અકાઉન્ટમાં 6 લાખ 66 હજાર રૂપિયા અને એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં 36 હજાર રૂપિયા જમા છે.
સુનીતા કેજરીવાલ પાસે 300 ગ્રામ સોનું (કિંમત 9 લાખ રૂપિયા) અને 500 ગ્રામ ચાંદી (કિંમત 24 હજાર રૂપિયા) છે. ગાઝિયાબાદમાં કેજરીવાલ 55 લાખ રૂપિયાની જમીન અને હરિયાણામાં 37 લાખની પૈતૃક પ્રોપર્ટી ધરાવે છે જયારે પત્ની સુનીતા ગુડગાંવમાં એક કરોડની કિંમતનો ફલેટ ધરાવે છે. કેજરીવાલ દંપતિ પાસે કાર નથી.
કેજરીવાલની સરખામણીએ મોદીએ કુલ 1.51 કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. મોદી પાસે કુલ 1.35 લાખ રૂપિયાની ચાર વીંટીઓ અને 29,700 રૂપિયાની રોકડ છે. વધુમાં મોદી ગાંધીનગરમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો ધરાવે છે.
નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સંપત્તિની વિગતો અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઇ વાહન નથી. એટલું જ નહિ પણ સાયકલ પણ નથી.
નરેન્દ્ર મોદીની સંપત્તિ
રોકડ - 29,700
રૂપિયા બેંક બેલેન્સ - 11,74,394 રૂપિયા
બેંક ડિપોઝિટ - 32,48,989 રૂપિયા
NSC - 4,34,031 રૂપિયા
સોનું- 1,35,000 રૂપિયા
ઇન્કમટેક્સ રિફંડ - 1,15,468 રૂપિયા
ગાંધીનગરમાં રહેણાંકનો પ્લોટ - 1 કરોડ રૂપિયા
કુલ સંપત્તિ 1,50,42,114 રૂપિયા
નોંધનીય છે કે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી વખતે તેમની સંપતિ 1,33,42,842 રૂપિયા હતી. આમ 2012 થી 2014 દરમિયાન તેમની સંપત્તિમાં 16.99 લાખ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લે 2012-13નું આઇટી રિટર્ન ભર્યું હતું તેમાં દર્શાવેલી આવક 4,54,095 રૂપિયા હતી. નરેન્દ્ર મોદીએ તેમના લગ્નસાથી તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતમાં કોઇ કેસ તેમની સામે નથી. તેમણે ટપાલનું સરનામું સી-1, સોમેશ્વર ટેનામેન્ટ, રાણીપ, અમદાવાદ દર્શાવ્યું છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
