જોશીમઠ બાદ હવે જમ્મુ કાશ્મીરમાં મકાનોમાં પડી તિરાડો, ડોડોના 7 ઘરોમાં દરારો
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના નાઈ બસ્તી વિસ્તારમાં 7 મકાનોમાં મોટી તિરાડની ભયાનક તસવીરો સામે આવી છે. જે બાદ લોકો ગભરાટમાં છે. તો બીજી તરફ ડીએમ અતહર અમીન ઝરગરની વાત માનીએ તો આ તિરાડો દિવસેને દિવસે વધી રહી છે.
ઉત્તરાખંડના જોશીમઠથી જમીન ધસી પડવાની અને મકાનોમાં તિરાડોની ભયાનક તસવીરો સામે આવી છે. તો ત્યાં હવે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. અહીં નાઈ બસ્તીમાં જમીન ધસી જવાને કારણે મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હોવાની કેટલીક તસવીરો સામે આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, અત્યાર સુધીમાં 7 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. તિરાડોના કારણે લોકો ગભરાટમાં છે.

ડોડાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અથર અમીન ઝરગરના જણાવ્યા અનુસાર આ તિરાડો દિવસેને દિવસે વધી રહી છે અને આ વિસ્તાર નીચે તરફ જઈ રહ્યો છે. જો કે જમીન ધસી પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ANIના સમાચાર મુજબ ડિસેમ્બર મહિનામાં એક ઘરમાં તિરાડ પડી હતી. પરંતુ હવે 7 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ તિરાડો પહોળી થઈ રહી છે. ડીએમએ જણાવ્યું કે ગઈકાલ સુધી 6 ઈમારતોમાં તિરાડો હતી, પરંતુ હવે આ તિરાડો વધી રહી છે.
ન્યૂઝ એજન્સી ANIને માહિતી આપતાં તેમણે કહ્યું કે આ વિસ્તાર નીચે તરફ જઈ રહ્યો છે, તેનાથી બચવું મુશ્કેલ છે. સરકાર તેને અહીં રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ભૂસ્ખલનનાં કારણો શોધવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેનો ઉકેલ વહેલી તકે મળી જશે. અહેવાલો અનુસાર, ડોડા જિલ્લાના નાઈ બસ્તી વિસ્તારમાં જે મકાનોમાં તિરાડો પડી છે તેમાં રહેતા લોકો તેમના પડોશીઓ અથવા સંબંધીઓના ઘરે પહોંચી ગયા છે.












Click it and Unblock the Notifications
