અહેમદ પટેલના નિધનના શોકમાં કોંગ્રેસના બધા મુખ્યાલયો પર પાર્ટીનો ઝંડો 3 દિવસ ઝૂકેલો રહેશે
અહેમદ પટેલના નિધન બાદ પાર્ટી તરફથી બધા રાજ્યોના યુનિટને પાર્ટીના ઝંડાને આવતા ત્રણ દિવસ સુધી ઝૂકેલો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર છે. અહેમદ પટેલના નિધન બાદ પાર્ટી તરફથી બધા રાજ્યોના યુનિટને પાર્ટીના ઝંડાને આવતા ત્રણ દિવસ સુધી ઝૂકેલો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ બધા રાજ્યોના મુખ્યાલયોને અહેમદ પટેલના નિધનના શોકમાં આજે શોકસભા આયોજિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. પાર્ટીના દિલ્લી સ્થિત મુખ્યાલયમાં પણ અહેમદ પટેલના નિધન બાદ પાર્ટીના ઝંડાને અડધો ઝૂકાવી દેવામાં આવ્યો છે.

71 વર્ષીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધી.એક લાંબુ પરંતુ લો-પ્રોફાઈલ રાજકીય સફર પસાર કરનાર અહેમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસી જ નહિ પરંતુ બીજા પક્ષોના લોકો પણ ખૂબ વધુ દુઃખી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કરીને કહ્યુ કે બે દિવસ પહેલા જ હું અહેમદ પટેલના પરિવારને મળ્યો હતો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પરિવાર સાથે વાત કરી હતી.
બુધવારે સવારે અહેમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુકે તે સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય દળમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજ સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
