Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માનહાનિ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મળ્યા જામીન

અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસીબી) ના ચેરમેન અજય પટેલ તરફથી દાખલ કરવામાં આવેલ ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે.

અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસીબી) ના ચેરમેન અજય પટેલ તરફથી દાખલ કરવામાં આવેલ ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. રાહુલ શુક્રવારે બપોરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થયા. અહીં તેમને કોર્ટમાંથી 15 હજારના મુચરકા પર જામીન મળી ગયા. વાયનાડ સાંસદ રાહુલ ગાંધી સામે આ કેસ નોટબંધીના સમયે બેંક પર આરોપો માટે કરવામાં આવ્યો હતો.

rahul gandhi

નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાએ એડીસી બેંક ર 745 કરોડ રૂપિયાને વ્હાઈટ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યુ હતુ કે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના નોટબંધીના પાંચ દિવસની અંદર બંધ થઈ ચૂકેલ 745.59 કરોડ રૂપિયાની નોટ બદલવાના ગોટાળામાં શામેલ હતો. જે અંગે અમદાવાદ જિલ્લા સહકારી બેંક અને તેના ચેરમેન અજય પટેલે ગુનાહિત માનહાનિની ફરિયાદ કરીને કેસ ફાઈલ કરાવ્યો હતો. અમિત શાહ એડીસી બેંકના નિર્દેશક છે.

માનહાનિ કેસમાં કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરીને રાહુલ ગાંધીએ 27 મેના રોજ હાજર થવાના આદેશ આપ્યા હતા. રાહુલ ગાંધીના વકીલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે. અદાલતે આનો સ્વીકાર કરીને રાહુલ ગાંધીને 12 જુલાઈએ કોર્ટ સામે હાજર થવાના આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ પર આજે રાહુલ અમદાવાદ પહોંચ્યા અને કોર્ટમાં હાજર થયા. તેમના વકીલે જામીનની માંગ કરી જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X