પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો
હવામાં પ્રદૂષણના કારણે દિલ્લી-એનસીઆરના લોકોને શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડી રહી છે. એવામાં હાલમાં જ હવાની ગુણવત્તા અંગે થયેલુ સંશોધન ચોંકાવનારુ છે.
હવામાં પ્રદૂષણના કારણે દિલ્લી-એનસીઆરના લોકોને શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડી રહી છે. એવામાં હાલમાં જ હવાની ગુણવત્તા અંગે થયેલુ સંશોધન ચોંકાવનારુ છે. દિલ્લીની હવા અંગે હાલમાં થયેલ સંશોધનમાં ખુલાસો થયો કે વર્ષ 2016માં શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત હતી. આ વર્ષે હવાની ગુણવત્તા એટલી ખરાબ હતી કે તેનીથી વ્યક્તિની સરેરાશ વયમાં 10 વર્ષ ઘટી ગયા છે. સંશોધનમાં દિલ્લીને દેશનું સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યુ છે. વળી, ભારત હાલમાં દુનિયાનું સૌથી પ્રદૂષિત દેશ છે.

યુનિવર્સિટી ઓફ શિકાગોના એનરજી પૉલિસી ઈન્સ્ટીટ્યુટ (EPIC) ના રિપોર્ટમાં ખુલાસો થયો કે પ્રદૂષણથી વ્યક્તિનું જીવન સરેરાશ 1.8 વર્ષ ઘટી રહ્યુ છે. માનવ સ્વાસ્થ્ય માટે પ્રદૂષણ સૌથી મોટો વૈશ્વિક ખતરો બનીને ઉભરી રહ્યો છે. રિપોર્ટમાં ભારતને દુનિયાનો બીજો સૌથી પ્રદૂષિત દેશ ગણવામાં આવ્યો છે. પહેલા નંબર પર નેપાળ છે. આ અનુસાર સરેરાશ વયમાં ઘટાડો એશિયામાં સૌથી વધુ છે જ્યાં ચીન અને ભારતમાં વ્યક્તિના જીવનના 6 વર્ષ ઘટી રહ્યા છે. વળી, ભારતમાં ઉત્તરપ્રદેશના બુલંદશહેર બાદ દિલ્લી બીજુ સૌથી પ્રદૂષિત શહેર છે. સંશોધનમાં જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં સૂક્ષ્મ કણોના ઘનત્વમાં 69 ટકાની વૃદ્ધિ થઈ છે જે 1998માં 2.2 વર્ષોની તુલનામાં ભારતીયની સરેરાશ વય 4.3 વર્ષ સુધી ઘટાડે છે.
ભારતના ઉત્તરી રાજ્ય બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાષ્ટ્રીય રાજધાનીમાં કણ પ્રદૂણનું ઘનત્વ ઘણુ વધુ છે. જેનાથી સરેરાશ વય પર છ વર્ષથી વધુની અસર પડે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વૈશ્વિક વસ્તીના 75 ટકા કે 5.5 બિલિયન લોકો એવા ક્ષેત્રોમાં રહે છે જ્યાં કણ પ્રદૂષણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની ગાઈડલાઈન્સની ઉપર છે. એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ (AQLI) પર થયેલા સ્ટડીમાં ખુલાસો થયો કે 1998-16 વચ્ચે આ 18 વર્ષોમાં એક વ્યક્તિની સરેરાશ વયમાં 10 વર્ષ સુધીનો ઘટાડો થયો છે. એક્યુએલઆઈ ઈન્ડેક્સ છે જે જીવન પર પ્રદૂષણના કારણે પડતી અસરનો અંદાજ કાઢે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
