સમાજવાદી પાર્ટીએ જાહેર કર્યુ ઘોષણાપત્ર કહ્યુ, ‘ભાજપ પાસે બતાવવા માટે કંઈ નથી'
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે શુક્રવારે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે શુક્રવારે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ. ઘોષણાપત્રનું એલાન કરતી વખતે અખિલેશ યાદવે જણાવ્યુ કે સામાજિક ન્યાયથી મહાપરિવર્તનના વિચાર સાથે અમે ચૂંટણીમાં ઉતર્યા છે. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન પર આધારિત અમારા ડોક્યુમેન્ટ જનતાને સમર્પિત છે. આ દરમિયાન મોદી સરકાર પર ખૂબ હુમલા કરીને તેમની નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યુ કે ભાજપ પાસે જનતાને બતાવવા માટે કંઈ પણ નથી.

અખિલેશ યાદવે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતા કહ્યુ, 'અમીરી-ગરીબીની ખીણ ઉંડી થઈ ચૂકી છે. અમે બધા વર્ગોના હિતોનું ધ્યાન રાખીશુ. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન એક નવી દિશા- એક નવી આશા સાથે અમે લક્ષ્ય નક્કી કર્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે પ્રાથમિક શિક્ષણને ઠીક કર્યા વિના કંઈ સરખુ થઈ શકે નહિ. દેશમાં જીએસટી લાગુ થવાથી વેપારીઓને નુકશાન થયુ છે. નોટબંધીથી વેપારી બહાર નહોતા નીકળ્યો કે જીએસટીએ તેમની કમર તોડી નાખી.' તેમણે કહ્યુ કે સબકા સાથ સબકા વિકાસ માટે બધાએ સાથે આવવુ પડશે. અમે તો ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીના પક્ષમાં છીએ. મહિલાઓને સમાન સમ્માન આપ્યા વિના વિકાસ અધૂરો છે.
ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ પાસે બતાવવા માટે કોઈ કામ નથી. ભાજપ સરકાર બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યાના આંકડા છૂપાવી રહી છે. એ જરૂરી છે કે બધા આંકડા જનતા સામે આવે. પોતાના કાર્યકાળમાં કરાયેલા કામોનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે કહ્યુ કે જો તે સત્તામાં આવશે તો એ કામોને જરૂર પૂરા કરશે જે અધૂરી રહી ગયા હતા.
અખિલેશ યાદવે કહ્યુ કે અમે જે કામ કર્યા છે તે જ અમારી વિશ્વસનીયતા છે. અખિલેશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વાયરસવાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યુ કે મુખ્યમંત્રીને કંઈ ખબર જ નથી. હાલમાં જ દિલ્લીમાં એક કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં એ પરિણામ નીકળ્યુ હતુ કે જ્ઞાન અને વિજ્ઞાન આપણા દેશને આગળ લઈ જશે. એ લોકો ટેસ્ટ ટ્યૂબ બેબી પર વાત કરી રહ્યા હતા. તેમને કોઈ માહિતી નથી તે માત્ર જનતાને છેતરી રહ્યા છે. જો તેમને માહિતી હોત તો અત્યાર સુધી યુપીમાં લેપટૉપ વહેંચાઈ ગયા હોત.
અખિલેશે કહ્યુ કે આ નવી વસ્તુઓ છે ટ્વીટર અને ટ્વીટ કરવુ, આ મુખ્યમંત્રી નથી જાણતા. ક્યાંક કોઈનાથી લખાવી લીધુ છે, કે કોઈ વાયરસથી તો નથી લખાવી લીધુ. અને ભાજપે જે વચનો આપ્યા હતા તેનુ શું થયુ? આવક બમણી થઈ? નવયુવાનોને રોજગાર મળ્યા?
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
