Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કર્યો, પૂછ્યું - ક્યાં સુધી રાજ્યનો ખેડૂત આ બધું સહન કરશે?

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બેંક અને શાહુકારની લોનથી પરેશાન ખેડૂત અનિલ કુમારે આત્મહત્યા કરી લીધી હતી. સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ખેડૂત આત્મહત્યાની ઘટનાને ખૂબ જ હૃદયદ્રાવક ગણાવી હતી.

લખનઉ : ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બેંક અને શાહુકારની લોનથી પરેશાન ખેડૂત અનિલ કુમારે આત્મહત્યા કરી લીધી હતી. સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ખેડૂત આત્મહત્યાની ઘટનાને ખૂબ જ હૃદયદ્રાવક ગણાવી હતી. આ સાથે જ અખીલેશ યાદવે રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે પૂછ્યું કે, રાજ્યનો ખેડૂત ક્યાં સુધી આ બધું સહન કરશે?

Akhilesh Yadav

આખરે રાજ્યનો ખેડૂત આ બધું ક્યાં સુધી સહન કરશે?

બાગપતમાં ખેડૂત અનિલ કુમારે આત્મહત્યા કર્યા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે રાજ્યની યોગી સરકાર પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું છે. અખિલેશ યાદવે લખ્યું, ઉત્તર પ્રદેશના બાગપતમાં દેવું દબાયેલા ખેડૂતની આત્મહત્યાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે! ભાજપના શાસનમાં ખેડૂતોની આવી સ્થિતિ સરકારના તમામ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી રહી છે. આખરે રાજ્યનો ખેડૂત આ બધું ક્યાં સુધી સહન કરશે?

1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જાહેર કરાયેલા દરે ખેડૂતોના ડાંગરની ખરીદી કરવામાં આવી રહી નથી

આ પહેલા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોને અપમાનિત કરવાની સાથે તેમને કલંકિત કરી રહી છે. ભાજપે તેના સંકલ્પ પત્રમાં ખેડૂતોને ખોટા વચનો આપ્યા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રી એમએસપીના દરે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવશે તેવા સમાન આશ્વાસન આપતા રહ્યા છે, પરંતુ આ પણ તેમના દરેક જુઠ્ઠાણાની જેમ ચોખ્ખું જુઠ્ઠાણું સાબિત થઈ રહ્યું છે. એટલું જ નહીં, અખિલેશે કહ્યું કે ખેડૂતના ડાંગરની ખરીદી માટે કોઈ વ્યવસ્થા નથી. 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જાહેર કરાયેલા દરે ખેડૂતોના ડાંગરની ખરીદી કરવામાં આવી રહી નથી.

લોન ન ચૂકવવાને કારણે ખેડૂતે કરી આત્મહત્યા

બાગપત જિલ્લાના બિહારીપુર ગામમાં રહેતા ખેડૂત અનિલ કુમાર (45)નો મૃતદેહ ખેતરમાં જામફળના ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. મૃતદેહની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક ખેડૂત અનિલ કુમારના સંબંધીઓએ જણાવ્યું કે, ખેડૂત અનિલ પાસે ચાર વીઘા જમીન છે. અનિલ પર બેંકની લગભગ સાત લાખ રૂપિયા અને શાહુકારને ત્રણ લાખ રૂપિયાની લોન છે. દેવું ચૂકવવા માટે તેને સતત દબાણ કરવામાં આવતું હતું.

અનિલ હાલમાં આ લોન ચૂકવવામાં અસમર્થ હતો. જેના કારણે તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં ચાલી રહ્યો હતો. જેના કારણે ખેડૂતે આત્મહત્યા કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X