અક્ષય કુમારે સુકમાના શહીદોને દાન કર્યા રૂ. 1.08 કરોડ
અક્ષય કુમારે છત્તીસગઢના સુકમામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનોને 1.08 કરોડ રૂપિયા આપ્યા છે. અક્ષય કુમાર તરફથી દરેક પરિવારને 9 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે છત્તીસગઢ ના સુકમા માં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારનો માટે 1.08 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સુકમામાં થયેલ નક્સલવાદી હુમલામાં 12 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે અક્ષય કુમારે દરેક પરિવારને 9 લાખ રૂપિયા દાન કરવાનો વાયદો કર્યો છે.

સીઆરપીએફ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી આ વાતની સૂચના આપવામાં આવી છે. અક્ષય કુમારના આ પગલાના વખાણ કરતાં સીઆરપીએફ એ કહ્યું કે, આ પગલું તેમની દેશભક્તિ અને અને દેશના લોકો તથા સેના પ્રત્યે તેમના સમર્પણને દર્શાવે છે. સુકમાના હુમલા બાદ અક્ષય કુમાર સતત આઇપીએસ અધિકારી અમિત લોઢાના સંપર્કમાં હતા. અમિત લોઢા જેસલમેર નૉર્થ સેક્ટરના ડીઆઇજી છે. અક્ષયે તેમના આ હુમલામાં શહીદ થયેલા જવાનોની જાણકારી માંગી હતી તથા શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવાની રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલિયન પર સુકમાના ભેજ્જી થાણા વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો. નક્સલી પહેલેથી ત્યાં ઘાત લગાવીને બેઠા હતા. તેમણે પહેલા ઇઇડી બ્લાસ્ટ કર્યો અને પછી ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
