મોદી પર વરસ્યા અમરસિંહ, રાહુલ ગાંધીના કર્યા વખાણ
અમરસિંહે કહ્યું કે 'સોનિયા ગાંધીની દૂરદર્શિતાને પગલે કોંગ્રેસે આ પગલું ભર્યું છે. દરેક વ્યક્તિની નૈતિક પ્રવૃત્તિ જુદી-જુદી હોય છે, અને સંવેદનશીલતાનું અનુપાત પણ. મારી પ્રાથમિકતા મારુ સ્વાસ્થ્ય અને મારું પરિવાર છે. હું એક ક્ષત્રિય છું અને જ્યારે જરૂરીયાત રહેશે ત્યારે લડવા માટે મેદાનમાં પણ જઇશ.'
તેમણે જણાવ્યું કે હું કોઇની ખુશામદી માટે કઇ નથી કહી રહ્યો, પરંતુ નેહરુ પરિવાર સાથે સંબંધ રાખનાર રાહુલ ગાંધી યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સુરક્ષાની ચિંતા કર્યા વગર ઘણું બધું કર્યું છે, મને રાહુલ ગાંધીમાં સારુ ભવિષ્ય દેખાઇ રહ્યું છે.
અમર સિંહે જણાવ્યું કે, ગુજરાતથી જ મારા લગ્ન થયા છે માટે હું તેના અંગે કંઇ પણ ખોટું કઇ રીતે કઇ શકું. રાજનીતિ આપનું ધર્મ હોઇ શકે છે, પરંતુ કોઇને પણ ધર્મના નામે રાજનીતિ કરવી જોઇએ નહીં અને નરેન્દ્ર મોદીએ એવું કર્યું છે. નરેન્દ્ર મોદીએ જ બીજેપીને કુખ્યાત બનાવી છે, તેમણે રાહુલ ગાંધી પર વ્યક્તિગત ટિપ્પણી કરી પરંતુ તેનો કોઇ ફાયદો થયો નહીં.