મારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સભ્ય અમરસિંહે આઝમ ખાન પર ફરીથી એક વાર નિશાન સાધ્યુ છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સભ્ય અમરસિંહે આઝમ ખાન પર થોડા દિવસો પહેલા જોરદાર હુમલો કર્યો હતો ત્યારબાદ આઝમ ખાને તમામ આરોપો ખોટા ગણાવ્યા હતા. વળી, ફરીથી એક વાર અમરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આઝમ ખાન પર નિશાન સાધ્યુ છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરસિંહે આઝમ ખાન પર હુમલા કર્યા. અમરસિંહે કહ્યુ કે જૂઠ બોલવાનો કોઈ ખિતાબ હોય તો તે આઝમ ખાનને આપવો જોઈએ. એક ટીવી ચેનલ પર આઝમ ખાનના નિવેદનનો ઉલ્લેખ કરતા અમરસિંહે કહ્યુ કે તે મને જૂઠા કહે છે. તેમણે કહ્યુ કે આઝમે મારા પરિવાર અને મને જાનથી મારવાની ધમકી આપી છે. અમરસિંહે કહ્યુ કે આઝમ ખાને દીકરીઓ પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ત્યારબાદ મારી દીકરીઓ ઘરમાંથી બહાર નીકળતા ડરે છે.
તેમણે કહ્યુ કે પીએમ મોદી પર ગુજરાતના હુલ્લડોનું કલંક લગાવનાર આઝમ જણાવે કે મુઝફ્ફરનગર હુલ્લડ કેવી રીતે અલગ હતુ. શું ત્યાં લોકોના જીવ નહોતા ગયા. અમરસિંહે કહ્યુ કે તેમણે ચૂંટણી જીત્યા બાદ હિંદુઓ પર અત્યાચાર વધ્યા, હિંદુ દીકરીઓ પર અત્યાચાર વધ્યા. આઝમ ખાન પર અમરસિંહે ખૂબ ભડાસ કાઢી અને કહ્યુ કે આવા લોકોને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
