કર્ણાટકમાં હલાલ વિવાદ વચ્ચે હવે આ આઇસક્રીમ બ્રાન્ડના બહિષ્કારની માંગ ઉઠી!
બેંગલુરુ, 8 એપ્રિલ : કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ હવે હલાલને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. કર્ણાટકના મેંગલુરુ શહેરમાં આઈસ્ક્રીમના વ્યવસાયને અસર થઈ છે, કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ચોક્કસ બ્રાન્ડનો બહિષ્કાર કરવાની જોરદાર માંગ થઈ રહી છે.
આ પછી કર્ણાટકમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરના મોટા અવાજને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે જૂના હલાલ વિવાદે જોર પકડ્યું છે. કર્ણાટકમાં 'હલાલ' માંસ વિરોધી ઝુંબેશની આગેવાની જમણેરી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી, જેણે તાજેતરમાં મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.
સોશિયલ મીડિયા પર એક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે વ્યવસાયોને એક મહિનાની અંદર તેમના ઉત્પાદનોમાંથી હલાલ પ્રમાણપત્ર દૂર કરવા વિનંતી કરવામાં આવે છે. જો આમ નહીં કરવામાં આવે તો કર્ણાટકમાં ખાસ કરીને ઉડુપી, ડીકે અને મેંગલોર, પાર્લર સહિતની બ્રાન્ડનો બહિષ્કાર કરશે.
અહેવાલ મુજબ, એક ખાસ બ્રાન્ડે એક ઝુંબેશ પછી તેના ઉત્પાદનને હલાલ-પ્રમાણિત કર્યું હતું. અગાઉ આ કંપની સામે ચળવળ શરૂ કરવામાં આવી હતી, કારણ કે આરોપ છે કે ચોક્કસ બ્રાન્ડ દ્વારા આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાતા ઘટકો ખાસ સમુદાય માટે વપરાશ માટે યોગ્ય નથી. જે બાદ તે આઈસ્ક્રીમ બ્રાન્ડને હલાલ પ્રમાણિત કરવામાં આવી હતી, પરંતુ તે જ સર્ટિફિકેશનથી બ્રાન્ડ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે અને તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.