આઝાદી સૌથી મોટી જીત, મોદી સૌથી લોકપ્રિય નેતા: અમિત શાહ
યુપીમાં ભાજપની સુનામી લાવનાર અમિત શાહે, પાર્ટીની જીત પર શું કહ્યું જાણો અહીં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપીમાં બમ્પર જીત મેળવ્યા પછી એક પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી હતી. જેની શરૂઆતમાં તેમણે લોકોને હોલી પહેલા શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જે પરિણામો આવ્યા છે તે ખરેખર ઉત્સાહ વધારે તેવા છે. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. પંજાબમાં અમે હાર્યા છીએ પણ 30 ટકા વોટ અમને મળ્યા છે. આઝાદી પછી ઉત્તરાખંડ અને યુપીમાં ભાજપની આ સૌથી મોટી જીત છે. આ જીત, પ્રદેશની જનતા, નરેન્દ્ર મોદી અને કાર્યકરોની છે. તેમણે કહ્યું કે આ દ્વારા જનતાએ નોટબંધી પર મોહર લગાવી છે. અને જનધન, ઉજ્જવલા જેવી નાની યોજનાઓ પર લોકોએ પોતાનો ભરોસા વ્યક્ત કર્યો છે. આઝાદી પછી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. અને ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની જનતા દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને પૂરી વિનમ્રતાથી સ્વીકારે છે.

લોકોની અપેક્ષા
જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો હવે અંત થશે. તે સાથે વિકાસ આધારિત હવેની ચૂંટણી થશે. તેમણે કહ્યું કે લોકોએ કામ કરતી સરકારનો સાથ આપ્યો છે. અને આઝાદી પર લોકતંત્રમાં કામ પર આધારિત વોટ મળવાના શરૂ થયા છે. ઉત્તર પ્રદેશના વિકાસના તમામ રસ્તાઓ ખુલી ગયા છે. અને લોકોએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તે પર અમે 100 ટકા સાબિત થઇને બતાવીશું.
અમેઠી-રાયબરેલી 6 સીટો
અમેઠી અને રાયબરેલીમાં ભાજપે 10માંથી 6 સીટો જીતી છે. 2014 કરતા અમારું આ વખતનું પ્રદર્શન જોરદાર છે. અને આવનારા સમયમાં દેશની રાજનિતીની દિશા નક્કી કરવામાં કામમાં આવશે.
માયાવતી
માયવતી પર અમિત શાહે કહ્યું કે તે કોઇ ટિપ્પણી નથી કરવા ઇચ્છતા. તેમના મનની સ્થિતિ હું સમજી શકું છું. વધુમાં તેમણે કહ્યું કે કાલે પીએમના સ્વાગત પછી સંસદીય બોર્ડની બેઠકમાં ચાર રાજ્યોમાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતા હિંદુ- મુસ્લમાનમાંથી બહાર નીકળી ગઇ છે. અને મતદાતા વિકાસની વાત કરતી સરકાર ઇચ્છે છે.
મુખ્યમંત્રી
તો જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું તમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા માંગો છો તો તેમણે કહ્યું કે મારી જોડે બહુ કામ છે. હું તો યુપીનો વોટર પણ નથી. તેમણે કહ્યું કે જે યોગ્ય ઉમેદવાર હશે તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
