પુલવામામાં શહીદ થયેલા 40 CRPFના જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, તેમના કેમ્પમાં રાત વિતાવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
પુલવામાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આના માટે અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પુલવામા જિલ્લાના લેથપોરામાં એક સ્મારક પર ગયા. જ્યાં બંનેએ 2019 દરમિયાન આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ત્યાં સ્મારક પર માલ્યાર્પણ કર્યુ અને સીઆરપીએફ કેમ્પમાં જ રાત પસાર કરી. બંનેએ અર્ધસૈનિક દળો સાથે ડિનર પણ કર્યુ.

શિબિરમાં રાત પસાર કરી
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'હું અર્ધસૈનિક દળોના જવાનો સાથે સમય પસાર કરવા માંગતો હતો, તેમને મળવા માંગતો હતો, તેમના અનુભવો અને મુશ્કેલીઓને જાણવા માંગતો હતો અને કામ કરવાની ભાવના બતાવવા માંગતો હતો. માટે અમે પુલવામાના લેથપોરા સીઆરપીએફ કેમ્પમાં પોતાના બહાદૂર સૈનિકો સાથે લંચ કર્યુ. તેમની સાથે રોકાયો. આના માટે તેમના શિબિરમાં રાત પસાર કરી.'

જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં થયો સુધારો
શાહે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેમણે કહ્યુ કે, 'તેમને આશા છે કે આપણે પોતાના જીવનકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત એક શાંતિપૂર્ણ જમ્મુ અને કાશ્મીરનો અહેસાસ કરવામાં સક્ષમ હોઈશુ.'

પત્થરબાજી પર લગામ
કાશ્મીરમાં પત્થરબાજી પર લગામ કસવાની વાત કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ, 'પત્થરબાજીની ઘટનાઓ ત્યારે જ જોવા મળે છે જ્યારે આપણા સુરક્ષાબળો આતંદવાદીઓની સર્ચ કરવાની કોશિશ કરે છે. એક સમય હતો...જ્યારે કાશ્મીરમાં પત્થરબાજી સામાન્ય વાત હતી.' તેમણે કહ્યુ કે, 'આ પ્રકારની ઘટનાઓ ઘણી હદ સુધી ઘટી ગઈ છે. પરંતુ, હું કહેવા માંગુ છુ કે સંતુષ્ટ થવાની જરૂર નથી. આપણે ધ્યાન રાખવુ પડશે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
