માયાનગરીમાં અમૃતા પ્રિતમના પુત્ર કાવત્રાની હત્યા
જાણકારી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરની સીલ કરી દીધું હતું. પોલીસના ઉપરી અધિકારીઓએ જણાવ્યું હતું કે જે સમયે કાવત્રાની હત્યા થઇ તે સમયે તે ઘરે એકલાં હતા. લગભગ 12 વાગ્યે તે ઘરમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. બિલ્ડિંગના ગાર્ડે જણાવ્યું હતું કે 11ની આસપાસ ત્રણ લોકો તેમના ઘરે આવ્યા હતા. તે ત્રણ લોકો ઉતાવળમાં ઘરમાંથી બહાર નીકળ્યાં હતાં. કાવત્રા બોરીવલીની એલઆઇસી કૉલોનીના ફ્લેટમાં એકલા રહેતાં હતાં અને તેમની પત્ની દિલ્હીમાં રહે છે જ્યારે તેમની પુત્રી બેંકકોંગમાં રહે છે. કાવત્રા ડિઝોલ્વિંગ વ્યૂઝ ફિલ્મસના માલિક હતા. તે પોતે એક લેખક હતા.
પોલીસે જણાવ્યું હતું કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા પછી ઘટનાની તસવીરો સ્પષ્ટ થઇ જશે. પોલીસ આસપાસના લોકોને પૂછપરછ કરી રહી છે તો બીજી તરફ વેરની વસૂલાત કરવામાં આવી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.