અમરોહાના ચિત્રકાર જોએબ ખાને બિપિન રાવતને અનોખી શ્રદ્ધાંજલિ આપી!
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બે સ્ટાફ સભ્યો અને અન્ય 9 લોકોના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક વ્યક્તિ દુઃખી છે.
અમરોહા, 9 ડિસેમ્બર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બે સ્ટાફ સભ્યો અને અન્ય 9 લોકોના મૃત્યુએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક વ્યક્તિ દુઃખી છે. લોકો પોતાની રીતે CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમરોહાના એક કલાકાર જોએબ ખાને સ્વર્ગસ્થ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતને 8 ફૂટ ચારકોલ પેઇન્ટિંગ બનાવીને શ્રદ્ધાંજલિ આપી છે.

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 11 સૈન્ય અધિકારીઓનું તમિલનાડુમાં કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ દેશ શોકમાં ડૂબી ગયો છે. ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ દુર્ઘટના બપોરે 12.08 વાગ્યા પછી સર્જાઈ. ત્યારથી એર ટ્રાફિક કંટ્રોલનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજનાથ સિંહે કહ્યું કે, જનરલ બિપિન રાવત તેમના પ્રવાસ માટે તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. એરફોર્સના Mi-17 V5 હેલિકોપ્ટરે ગઈકાલે સવારે 11:48 વાગ્યે સુલુર એર બેઝ પરથી ઉડાન ભરી હતી અને તે સવારે 12:15 વાગ્યે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું, પરંતુ સુલુર એર બેઝ પર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક 12:08 વાગ્યે તૂટી ગયો હતો.
રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ વરિષ્ઠ ફાયરમેન એનસી મુરલીના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરના કાટમાળમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી એક જનરલ બિપિન રાવત હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એનસી મુરલીએ જણાવ્યું હતું કે સ્થળ પરથી જીવતા બહાર કાઢવામાં આવેલા બીજો વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હતા, જેની બાદમાં ઓળખ થઈ હતી. વરુણ સિંહ હાલમાં લાઈવ સપોર્ટ સિસ્ટમ પર છે. આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
