આંધ્ર પ્રદેશઃ વિશાખાપટ્ટનમના HPCL પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર
આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીંના એચપીસીએલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીંના એચપીસીએલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. દૂર્ઘટના બાદ પ્લાન્ટ વિસ્તારમાં અફડા-તફડીનો માહોલ થઈ ગયો જેની સૂચના ફાયરબ્રિગેડ વિભાગને આપવામાં આવી. ઘટના સ્થળે પહોંચીને ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવાની કોશિશમાં લાગી ગઈ છે. જો કે હજુ સુધી એ સામે નથી આવ્યુ કે આગ કયા કારણોસર લાગી છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ આનંદનગર વિસ્તારમાં આવેલ રેડિયોમિર્ચી ટાવર સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. 10થી 12 ઝૂંપડાઓમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયત્ન કર્યો.ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો અને પોલિસ દ્વારા લોકોને ખસેડવામાં આવ્યા હતા. 50 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા.
Andhra Pradesh: Fire breaks out at HPCL plant in Visakhapatnam. District fire tenders being rushed to the spot. The cause of the incident yet to be ascertained. Details awaited. pic.twitter.com/n8JNfEqslx
— ANI (@ANI) May 25, 2021