મોદી સરકારે જો પોતાનુ વચન ન પાળ્યુ તો પદ્મભૂષણ પાછો આપી દઈશઃ અન્ના હજારે
છેલ્લા 5 દિવસોથી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાનો પદ્મભૂષણ પુરસ્કાર પાછો આપવાની ધમકી આપી છે.
છેલ્લા 5 દિવસોથી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ પોતાનો પદ્મભૂષણ પુરસ્કાર પાછો આપવાની ધમકી આપી છે. તેમણે કહ્યુ કે તે 8 કે 9 તારીખે રાષ્ટ્રપતિને પોતાનો આ પુરસ્કાર પાછો આપી દેશે. તેમણે કહ્યુ કે સમાજ અને દેશ સેવા માટે આ પુરસ્કાર મને આપવામાં આવ્યો હતો પરંતુ દેશની આવી હાલત છે તો મારુ મન કહે છે કે હું આ પુરસ્કારનું શું કરુ. હું આ પુરસ્કાર કોઈની પાસે માંગવા તો નહોતો ગયો. તેમણે કહ્યુ કે મોદી સરકારે સામાન્ય જનતાનો વિશ્વાસ તોડ્યો છે.

ઉલ્લેખનીય છે કે અન્ના હજારે બુધવારથી અહમદનગર જિલ્લામાં સ્થિત પોતાના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ બેઠા છે. તે કેન્દ્રમાં લોકપાલ અને મહારાષ્ટ્રમાં લોકાયુક્તની તત્કાળ નિયુક્તિ અને ખેડૂતોના મુદ્દે સમાધાન માટે આ ઉપવાસ કરી રહ્યા છે. એનડીએ ગઠબંધનમાં ભાજપના સાથી દળ શિવલેનાએ આ ઉપવાસનું સમર્થન કર્યુ છે અને તેમની માંગોને યોગ્ય ગણાવી છે. ઉપવાસ અંગે અન્નાએ કહ્યુ કે જો મને કંઈ પણ થાય તો લોકો પીએમ મોદીને જ આના જવાબદાર ગણાવશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા અન્નાની આ માંગોનું સમર્થન કરીને લગભગ 110 પ્રદર્શનકારીઓએ રાલેગણ સિદ્ધઇથી 38 કિમી દૂર પરનાર ક્ષેત્રા સૂપા ગામમાં અહમદનગર-પૂણે હાઈવે જામ કરી દીધો હતો. લોકપાલ માટે અન્નાની આ ત્રીજી હડતાળ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
