‘આપ’ના ગોપાલ રાય પર ભડક્યા અણ્ણા કહ્યું,‘ ગેટ આઉટ’
રાલેગણ સિદ્ધી, 13 ડિસેમ્બરઃ અણ્ણા હઝારે જન લોકપાલ પર અનશન કરી રહ્યાં છે. અનશનના ચોથા દિવસે અણ્ણાના પૂર્વ અને હાલના સહયોગીઓ વચ્ચે જોરદાર હંગામો મચ્યો. હંગામો એટલો વધી ગયો કે મંચ પર બેસેલ અણ્ણા પણ ભડકી ગયા અને આમ આદમી પાર્ટીએ નેતાને બહાર જતા રહેવા આદેશ કર્યો હતો. હંગામો પૂર્વ સેનાધ્યક્ષની વાતોથી શરૂ થયો. અણ્ણાના અનશનમાં શામેલ થવા આવેલા વીકે સિંહે કોઇનું પણ નામ લીધા વગર આપ પાર્ટીના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. વીકે સિંહે કહ્યું કે આજે જરૂરી એ વાત છે કે, આપણે દેશને આગળ લઇ જવા માટે એકસાથે કામ કરીએ ના કે અલગ-અલગ પાર્ટી બનાવીને પોતાના હિતો સિદ્ધ કરીએ.

હંગામો વધતો જોઇને અણ્ણાએ માઇક લીધું અને આપ નેતા ગોપાલ રાય પર ભડક્યાં હતા. તેમણે કહ્યું કે, જો તમે હંગામો કરવાના છો તો ગામની બહાર જતા રહોં અહી તમારી જરૂર નથી. આપ નેતા પર ગુસ્સે થતાં અણ્ણાએ કહ્યું કે, મે તમને કાલે જ તમને અનશન કરતા રોક્યા હતા. અણ્ણા, કાલે કુમાર વિશ્વાસ દ્વારા તેમના મંચ પરથી રાજકિય ભાષણ કરવામાં આવતા ગુસ્સે ભરાયા હતા. આજ ફરી એકવાર આપ નેતાએ હંગામો કરતા અણ્ણા ભડકી ગયા હતા. જનલોકપાલ માટે અણ્ણા હઝારે અનિશ્ચિતકાલિન અનશન પર છે. આજે ચોછા દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ તેમને આંદોલનનું સમર્થન કર્યું છે. અણ્ણાએ કહ્યું છે કે જ્યા સુધી સંસદમાં જન લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યા સુધી તે પોતાના અનશન નહીં તોડે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
