અણ્ણા, શ્રીશ્રી રવિશંકરે કેજરીવાલને કરી અનશન તોડવાની અપીલ
આદ્યાત્મિક સંસ્થા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાના આઠ દિવસ જૂના ઉપવાસને ખત્મ કરવા માટે આગ્રહ કર્યો. રવિશંકરે એક નિવેદનમાં કહ્યું. વ્યવસ્થામાં સુધારામાં એક લાંબી રાજકીય પ્રક્રિયા છે અને આવી સ્થિતિમાં તેમનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે.
આ પહેલાં અણ્ણા હજારે કહ્યું કે, આવી સરકારો વિરુદ્ધ અનશન કરવાથી કંઇજ હાંસલ નથી થવાનું. જો જનતાને ન્યાય અપાવવો છે તો પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખીને લડવું પડશે.
કેજરીવાલ વિજળી અને પાણીના વધેલા બિલ વિરુદ્ધ ઉપવાસ કરી રહ્યાં છે. કેજરીવાલ ઉત્તરીય-પૂર્વીય દિલ્હીની સુંદર નગરીની એક ઝુગ્ગી વસ્તીમાં છ દિવસના ઉપવાસ કરી રહ્યાં છે અને લોકોને વિજળી અને પાણીના બિલ નહીં ભરવા અપીલ કરી રહ્યાં છે. તેમનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને વિજળી કંપનીઓની સાંઠગાંઠના કારણે વિજળીના દરમાં વધારો થયો છે. તેમણે પોતાના સત્યાગ્રહમાં એક લાખથી વધારે લોકોએ સમર્થન કર્યાનો દાવો કર્યો છે.