અરવિંદ કેજરીવાલ અને મહુઆ મોઈત્રાની આજે પૂછપરછ, ભાજપે બંનેને ગણાવ્યા 2 નંબરી, થઈ શકે છે ધરપકડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને TMC સાંસદ મહુઆ મોઇત્રાની આજે બે અલગ-અલગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે કથિત લિકર પૉલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે.
જ્યારે મહુઆ મોઇત્રાને કેશ ફૉર ક્વેરી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. લોકસભાની એથિક્સ કમિટી મહુઆ મોઇત્રાની પૂછપરછ કરશે. આ દરમિયાન મહુઆએ સમિતિના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

બંને નેતાઓ સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તેના પર ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આ બંનેને 2 નંબરી ગણાવ્યા છે. ગોડ્ડા, ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને મહુઆ મોઇત્રા બંને 2 નંબરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ બંને 2 નંબરી બીજી નવેમ્બરે હાજિર હો.
એથિક્સ કમિટી સમક્ષ હાજર થતાં પહેલાં, મહુઆ મોઇત્રાએ પેનલને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તે 2 નવેમ્બરે પેનલ સમક્ષ હાજર થશે. આ સાથે તેમણે પરવાનગી માંગી છે કે તે કથિત લાંચ આપનાર દર્શન હિરાનંદાની અને વકીલ જય દેહદરાણીને ક્રૉસક્વેશ્ચન કરી શકે છે
તમને જણાવી દઈએ કે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં અદાણી ગ્રુપને નિશાન બનાવવા માટે દુબઈના બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લીધી છે.
તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે ફરી એકવાર સંસદમાં ક્વેરી માટે રોકડનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તેમણે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. તેણે દાવો કર્યો છે કે વકીલ જય અનંત ડેદ્રાણીએ તેને લાંચ આપવામાં આવી હોવાના પુરાવા આપ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ ED સમક્ષ ચોક્કસ હાજર થશે પરંતુ આ દરમિયાન તેમની ધરપકડ પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
