ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ
ખુદના ફાયદા માટે સેનાને જૂઠું બોલી રહ્યા છે શાહઃ કેજરીવાલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના એ દાવા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે સેનાએ કોઈ આંકડો નથી આપ્યો તો શાહની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છ. કેજરીવાલે કહ્યું કે શું અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે.
|
એક પછી એક કેજરીવાલના કેટલાંય ટ્વીટ
કેજરીવાલે શાહ પર નિશાન સાધતા એક પછી એક કેટલાંય ટ્વીટ કર્યાં છે. કેજરીવાલે કહ્યું, એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના મૃત્યુનો કોઈ આંકડો ન હોવાની વાત કેન્દ્રીય મંત્રી આહલૂવાલિયા કહી રહ્યા છે, જે સેના પણ કહી રહી છે. પરંતુ અમિત શાહ કહી રહ્યા છે કે સેના જૂઠું બોલી રહ્યા છે, 250 મર્યા હતા. અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે. દેશ આ કોઈ હાલમાં સહન નહિં કરે. સેના જૂઠ ન બોલી શકે, ભાજપ જૂઠું બોલી રહ્યું છે. આખો દેશ સેનાની સાથે છે, પરંતુ ભાજપ સેનાની વિરુદ્ધ છે.

શાહ જણાવે શું સેના જૂઠ બોલી રહી છે
કેજરીવાલે અમિત શાહના નિવેદનને લઈ કહ્યું કે તેમના મુજબ સેના જૂઠું બોલી રહી છે. શું અમિત શાહ અને ભાજપ સેનાને જૂઠું બોલી રહ્યા છે? રવિવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે સૂરતમાં પોતાના એક ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના 250થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા અને ભારતની સેનાને કોઈ નુકસાન થયું નહોતું.

સેનાએ કોઈ જ સંખ્યા ન જણાવી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર 26મી ફેબ્રુઆરીએ બોમ્બમારો કર્યો હતો. જેમાં 300થી 350 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ સેનાએ પોતાના નિવેદનમાં કોઈ આંકડો આપ્યો નથી. સેનાએ આને એક સફળ ઓપરેશન જણાવ્યું અને કહ્યું કે તેમણે યોગ્ય ટાર્ગેટ પર બોમ્બ વર્ષા કરી હતી પરંતુ કેટલા લોકો મર્યા તેનો કોઈ યોગ્ય આંકડો નથી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
