ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ
ખુદના ફાયદા માટે સેનાને જૂઠું બોલી રહ્યા છે શાહઃ કેજરીવાલ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના એ દાવા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે સેનાએ કોઈ આંકડો નથી આપ્યો તો શાહની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છ. કેજરીવાલે કહ્યું કે શું અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે.
|
એક પછી એક કેજરીવાલના કેટલાંય ટ્વીટ
કેજરીવાલે શાહ પર નિશાન સાધતા એક પછી એક કેટલાંય ટ્વીટ કર્યાં છે. કેજરીવાલે કહ્યું, એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના મૃત્યુનો કોઈ આંકડો ન હોવાની વાત કેન્દ્રીય મંત્રી આહલૂવાલિયા કહી રહ્યા છે, જે સેના પણ કહી રહી છે. પરંતુ અમિત શાહ કહી રહ્યા છે કે સેના જૂઠું બોલી રહ્યા છે, 250 મર્યા હતા. અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે. દેશ આ કોઈ હાલમાં સહન નહિં કરે. સેના જૂઠ ન બોલી શકે, ભાજપ જૂઠું બોલી રહ્યું છે. આખો દેશ સેનાની સાથે છે, પરંતુ ભાજપ સેનાની વિરુદ્ધ છે.

શાહ જણાવે શું સેના જૂઠ બોલી રહી છે
કેજરીવાલે અમિત શાહના નિવેદનને લઈ કહ્યું કે તેમના મુજબ સેના જૂઠું બોલી રહી છે. શું અમિત શાહ અને ભાજપ સેનાને જૂઠું બોલી રહ્યા છે? રવિવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે સૂરતમાં પોતાના એક ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના 250થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા અને ભારતની સેનાને કોઈ નુકસાન થયું નહોતું.

સેનાએ કોઈ જ સંખ્યા ન જણાવી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર 26મી ફેબ્રુઆરીએ બોમ્બમારો કર્યો હતો. જેમાં 300થી 350 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ સેનાએ પોતાના નિવેદનમાં કોઈ આંકડો આપ્યો નથી. સેનાએ આને એક સફળ ઓપરેશન જણાવ્યું અને કહ્યું કે તેમણે યોગ્ય ટાર્ગેટ પર બોમ્બ વર્ષા કરી હતી પરંતુ કેટલા લોકો મર્યા તેનો કોઈ યોગ્ય આંકડો નથી.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
