કેજરીવાલ દિલ્લી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, અદાલતે આ માંગ પણ ફગાવી
Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પૉલિસી કેસમાં ઈડીની ધરપકડને પડકારતી અરજીને લઈને દિલ્લી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આપ કન્વીનરની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જે બાદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
એક દિવસ પહેલા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી કરતા તપાસ એજન્સી EDની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. જે બાદ તેમણે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ સિવાય અરવિંદ કેજરીવાલને અન્ય એક મામલે પણ ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટે કાનૂની બેઠકો વધારવાની તેમની અરજી ફગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ રાઉઝ એવન્યુ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને તેમની કાનૂની બેઠકો અઠવાડિયામાં બે વખતથી વધારીને અઠવાડિયામાં પાંચ વખત કરવાની માંગ કરી હતી.
જેના પર સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ 5 એપ્રિલે પોતાનો નિર્ણય અનામત રાખ્યા બાદ અરજી ફગાવી દીધી છે. મેજિસ્ટ્રેટ કોર્ટનું પગલું ત્યારે આવ્યુ જ્યારે ઈડીએ આપ વડાની વિનંતીનો વિરોધ કરીને કહ્યુ તે તેમણે તેમની કાનૂની બેઠકોનો દુરુપયોગ કર્યો છે.












Click it and Unblock the Notifications
