કેજરીવાલ ભારતીય રાજકારણના નબળા ખેલાડી : પ્રીતિ ઝિન્ટા
વારાણસી, 2 મે : બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અંગે જણાવ્યું છે કે તેઓ ભારતીય રાજકારણના નબળા ખેલાડી છે. પ્રીતિ ઝિન્ટાએ એમ પણ જણાવ્યું કે કેજરીવાલ કદાચ પોતે જ નથી જાણતા કે તેઓ શું કરવા માંગે છે.
આજ કાલ પ્રીતિ ઝિન્ટા વારાણસીમાં છે. તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એક જ દિવસમાં બધુ કરી દેવા માંગે છે. આવું કરવું ક્યારેય શક્ય નથી. દિલ્હીની જનતાએ જ્યારે તેમને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા તો તેમણે થોડું કામ કરવું જોઇતું હતું. પીઠ બતાવીને ભાગવું ઠીક ના કહી શકાય.

જો કે પ્રીતિ ઝિન્ટા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદથી ખુશ છે. વારાણસીના પ્રવાસે આવેલી પ્રીતિ ઝિન્ટાએ શુક્રવારે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ તથા સંકટ મોચન મંદિરમાં દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
પ્રીતિ ઝિન્ટાએ તેમના વિશે જણાવ્યું કે વર્તમાન સમયમાં દેશને એવા રાજકારણીની જરૂર છે, જે સૌને સમજી શકે. આવા રાજકારણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. દેશમાં ખરો વિકાસ ગુજરાતમાં થયો છે. અમે શુટિંગ કરવા માટે દેશભરમાં ફરીએ છીએ. તેમાં ગુજરાત બધાથી અલગ પડે છે. જે વ્યક્તિ સારું કામ કરે છે તેની પ્રશંસા થવી જોઇએ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
