For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વિશે સીએમ કેજરીવાલે પીએમ મોદીને સામે રાખી આ 3 મહત્વની વાતો

દિલ્લીના સીએમ કેજરીવાલે પીએમ મોદી સામે ત્રણ મહતવની વાતો રાખી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનુ સંક્રમણ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધી દેશમાં 239 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી. તેમણે કોરોના સંકટ પર બધા રાજ્યોના મુખ્યમંત્રીઓના ફીડબેક લીધા. આ દરમિયાન દિલ્લીના સીએમ કેજરીવાલે પીએમ મોદી સામે ત્રણ મહતવની વાતો રાખી.

30 એપ્રિલ સુધી વધારવામાં આવે લૉકડાઉન- સીએમ કેજરીવાલ

30 એપ્રિલ સુધી વધારવામાં આવે લૉકડાઉન- સીએમ કેજરીવાલ

કોરોના સંકટ પર પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આખા દેશમાં લૉકડાઉન કમસે કમ 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવે. સીએમ કેજરીવાલે કહ્યુ કે જો રાજ્ય પોત પોતાના સ્તરે નિર્ણય લેશે તો તે એટલુ અસરદાર નહિ હોય. આ ઉપરાતં સીએમ કેજરીવાલે કહ્યુ કે જો લૉકડાઉનમાં કોઈ પણ રીતે રાહત આપવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ના ખોલવામાં આવે. આ દરમાયન રેલવે, માર્ગ અને હવાઈ યાત્રાની અનુમતિ આપવામાં ન આવે.

પંજાબના સીએમે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રો માટે માંગી છૂટ

વળી, વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રો માટે વિશેષ છૂટ સાથે કમસે કમ એક પખવાડિયા સુધી રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી. આ પહેલા સમીક્ષા બેઠક દરમિયાન પીમ મોદીએ કહ્યુ, હું 24x7 ઉપલબ્ધ છુ. પીએમ મોદીએ કહ્યુ કે કોઈ પણ મુખ્યમંત્રી કોઈ પણ સમયે કોરોના વાયરસ મુદ્દે મારી સાથે વાત કરી શકે છે અને પોતાના સૂચન આપી શકે છે. આપણે ખભેથી ખભા મિલાવીને કોરોના સામે લડવાનુ છે. આ બેઠક દરમિયાન આરોગ્ય મંત્રાલયે પણ સ્થિતિનુ વિવરણ રજૂ કર્યુ.

દિલ્લીમાં કોરોનાના 903 કેસ સામે આવ્યા

દિલ્લીમાં કોરોનાના 903 કેસ સામે આવ્યા

મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્લીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 903 થઈ ગઈ છે. સંક્રમિત થનાર 584 મરકજ સાથે જોડાયેલા લોકો છે. આ વાયરસના કારણે 14 લોકોના મોત થયા છે. દિલ્લીમાં 30 જગ્યાઓને કોરોના હૉટસ્પૉટ ઘોષિત કરવામાં આવી છે અને આ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારે આખા દેશમાં આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 7447 સુધી પહોંચી ગઈ છે. આ વાયરસના કારણે દેશભરમાં 239 લોકોના મોત થયા છે. આની માહિતી આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુઆ પણ વાંચોઃ કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુ

English summary
Arvind Kejriwal suggested to PM Modi to extend lockdown till April 30 in all over India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X