આર્યનના નામમાં ખાન છે કારણે કેન્દ્રીય એજન્સીઓ તેને ટારગેટ કરે છે : મહેબૂબા મુફ્તી
સોમવારના રોજ તેના વકીલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ NCB એ એક નવો સ્ક્રૂ ફસાવ્યો હતો. જેના કારણે તેને થોડા વધુ દિવસો માટે જેલની પાછળ રહેવું પડશે.
નવી દિલ્હી : ડ્રગના કેસમાં ફસાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન હજૂ જેલમાં છે. સોમવારના રોજ તેના વકીલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ NCB એ એક નવો સ્ક્રૂ ફસાવ્યો હતો. જેના કારણે તેને થોડા વધુ દિવસો માટે જેલની પાછળ રહેવું પડશે. આ મામલે સંપૂર્ણપણે રાજકીય રંગ લીધો છે. હવે પીડીપી ચીફ અને જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આર્યન મામલે કેન્દ્ર અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
પીડીપીના વડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષે ચાર ખેડૂતોની હત્યા કરી હતી, પરંતુ કેન્દ્ર અને યુપી સરકાર તેમના પર કાર્યવાહી કરીને દાખલો બેસાડવા માંગતી નથી. કેન્દ્રીય એજન્સીઓ સરકારના ઈશારે 23 વર્ષીય આર્યનને નિશાન બનાવી રહી છે. કારણ કે, તેના નામના અંતે 'ખાન' છે. આ એક પ્રકારની ન્યાયિક પ્રક્રિયાની મજાક છે. ભાજપ પોતાની વોટ બેંકને સંતોષવા માટે મુસ્લિમોને નિશાન બનાવી રહ્યું છે.
બીજી તરફ લખીમપુર ખેરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળ્યાના આશરે 6 દિવસ બાદ શનિવારની રાત્રે એમઓએસ અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, તે વાહનમાં હતા જેણે પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આશિષની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે, તે તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો.
13 ઓક્ટોબરના રોજ આર્યન કેસની સુનાવણી
બીજી તરફ લખીમપુર ખેરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળ્યાના આશરે 6 દિવસ બાદ શનિવારની રાત્રે એમઓએસ અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, તે વાહનમાં હતા જેણે પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આશિષની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે, તે તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો.