For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે બુધવારે ટ્વીટ કરીને પીએમ મોદીને ભાજપની સ્ટાઈલમાં સવાલ પૂછ્યો છે. ઈમરાને મંગળવારે કહ્યુ છે કે નરેન્દ્ર મોદી જો લોકસભા ચૂંટણીમાં જીતીને ફરીથી ભારતના પીએમ બનશે તો ફરીથી શાંતિ મંત્રણા માટે સારા મોકા મળશે.

દેશવાસીઓને સત્ય જાણવાની અપીલ

દેશવાસીઓને સત્ય જાણવાની અપીલ

બુધવારે કેજરીવાલે ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘પાકિસ્તાન મોદીજીને કેમ જીતાડવા ઈચ્છે છે? મોદીજી દેશને જણાવે કે પાકિસ્તાન સાથે તેમના કેટલા ગાઢ સંબંધો છે?' કેજરીવાલે આગળ લખ્યુ, ‘બધા ભારતવાસીઓ જાણી લે કે જો મોદીજી જીત્યા તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.' કેજરીવાલની ટ્વીટ એટલા માટે ઘણી મહત્વની છે કારણકે અત્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ હંમેશાથી વિપક્ષ પર હુમલા કરતો આવ્યો છે. કેજરીવાલ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યુ કે પાકિસ્તાન અધિકૃત રીતે મોદી સાથે થઈ ગયો છે.

શું કહ્યુ હતુ ઈમરાન ખાને

પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન મંગળવારે અમુક વિદેશી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે આ વાત કહી છે. ઈમરાને કહ્યુ કે જો ભારતની આગામી સરકાર વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં બને તો કદાચ આ પાર્ટી કાશ્મીર પર પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની સુલેહ કરવામાં ડરશે કારણકે તેને વિરોધની શંકા રહેશે. ઈમરાને કહ્યુ, ‘કદાચ જો ભાજપ કે જે એક રાઈટ વિંગ પાર્ટી છે તે જીતે તો પછી કાશ્મીર પર કોઈ પ્રકારની સુલેહ સંભવ છે.'

કોંગ્રેસ માટે ચોંકાવનારુ

જો કે ઈમરાને એ પણ કહ્યુ છે કે ભારતમાં હાલમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તે વિશે તેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ. ઈમરાનના જણાવ્યા અનુસાર ભાજપના શાસનમાં ભારતમાં મુસલમાનો પર હુમલા થઈ રહ્યા છે. ઈમરાનનું નવુ નિવેદન કોંગ્રેસ માટે ચોંકાવનારુ છે કારણકે તેમણે એક રીતે પાર્ટીને કાશ્મીર મુદ્દો ઉકેલવામાં ભારતની એ ભાવિ સરકાર તરીકે દર્શાવી દીધી છે જે ડરપોક હશે. ગુરુવારે સામાન્ય ચૂંટણીનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલા તબક્કાનું મતદાન થશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને ફરીથી કર્યો લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ, મંત્રીએ કહ્યુ નવી સરકાર સાથે થશે વાતચીતઆ પણ વાંચોઃ પાકિસ્તાને ફરીથી કર્યો લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ, મંત્રીએ કહ્યુ નવી સરકાર સાથે થશે વાતચીત

English summary
Imran Khan said PM Narendra Modi should win elections, Aam Aadmi Party chief and Delhi CM Arvind Kejriwal takes a dig at BJP govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X