uphaar cinema tragedy : પુરાવા સાથે ચેડા કરવા બદલ અંસલ બંધુને સાત વર્ષની કેદ, 2.5-2.5 કરોડનો દંડ

અંસલ બંધુ સુશીલ અને ગોપાલ અંસલને ઉપહાર સિનેમા આગ દુર્ઘટનાના પુરાવાનો નાશ કરવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની એક કોર્ટે આ કેસમાં બંને ભાઈઓ પર 2.5-2.5 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

uphaar cinema tragedy : અંસલ બંધુ સુશીલ અને ગોપાલ અંસલને ઉપહાર સિનેમા આગ દુર્ઘટનાના પુરાવાનો નાશ કરવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની એક કોર્ટે આ કેસમાં બંને ભાઈઓ પર 2.5-2.5 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

ઉપહાર સિનેમા દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં સ્થિત

ઉપહાર ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન (એવીયુટી) એ 24 વર્ષ પહેલા લાગેલી આગમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ બંને ભાઈઓને આજીવન કેદની માગ કરી હતી. 13 જૂન, 1997ના રોજ દિલ્હીના ઉપહાર સિનેમામાં ફિલ્મ 'બોર્ડર' ચાલી રહી હતી. મેટિની શો દરમિયાન ફિલ્મ ચાલી રહી હતી, ત્યારે સિનેમા હોલમાં આગ લાગી હતી. જેમાં 59 લોકોના મોત થયા હતા. ઉપહાર સિનેમા દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં સ્થિત હતું.

 uphaar cinema tragedy case

અન્ય ત્રણને પણ સજા કરવામાં આવી હતી

આ સાથે જ કોર્ટના પૂર્વ કર્મચારી દિનેશ ચંદ શર્મા અને અન્ય બે આરોપી પીપી બત્રા અને અનૂપ સિંહને પણ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ત્રણેયને 3-3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જજે ચુકાદો સંભળાવતા કહ્યું કે, 'મેં રાત-રાત તેના પર વિચાર કર્યો અને મને લાગ્યું કે તેમને સજા મળવી જોઈએ.'

આરોપીઓ પરના દોષો થયા સાબિત

કોર્ટે 8 ઓક્ટોબરના રોજ રિયલ એસ્ટેટ બિઝનેસમેન અંસલ બંધુઓ, કોર્ટના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ શર્મા અને પીપી બત્રા અને અનૂપ સિંહને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. અન્ય બે આરોપી હરસ્વરૂપ પંવાર અને ધરમવીર મલ્હોત્રાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.

સુપ્રીમ કોર્ટે ફટકારી હતી બે વર્ષની જેલની સજા

દિલ્હી હાઈકોર્ટે AVUT પ્રમુખ નીલમ કૃષ્ણમૂર્તિની અરજી પર સુનાવણી કરતા નિર્દેશ આપ્યા હતા, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ આગની ઘટનામાં પુરાવા સાથે ચેડા કરવાને લગતો છે જેમાં અંસલ બંધુઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

24 વર્ષ પહેલા સર્જાઇ હતી આ ભયાનક દુર્ઘટના

વર્ષ 1997ની આ ભયાનક દુર્ઘટનામાં પરિવારના કુલ 28 સભ્યોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. 15 નવેમ્બર, 1997ના રોજ સીબીઆઈએ કુલ 16 લોકોને આરોપી બનાવીને ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં ઉપહારના માલિક ગોપાલ અંસલ અને સુશીલ અંસલ પણ શામેલ હતા.

12 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી

20 નવેમ્બર, 2007ના રોજ લાંબી સુનાવણી બાદ પટિયાલા હાઉસ કોર્ટે 12 આરોપીઓને સજા સંભળાવી હતી. અંસલ બંધુઓને બેદરકારી અને અન્ય કલમોથી મોતની સજા ફટકારવામાં આવી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો હતો. જે દરમિયાન સુપ્રીમ કોર્ટની સૂચનાથી અંસલ બંધુઓના જામીન રદ્દ કરવામાં આવ્યા હતા.

અંસલ બંધુઓની સજા 2 વર્ષથી ઘટાડીને 1 વર્ષની કરી હતી

હાઈકોર્ટે 6 આરોપીઓને સજા ફટકારી હતી અને અંસલ બંધુઓની સજા 2 વર્ષથી ઘટાડીને 1 વર્ષની કરી હતી. આ દરમિયાન અંસલ ભાઈઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અંસલ બંધુઓએ જેલમાં વિતાવ્યા હતા દિવસો

સુશીલ અંસલ પાંચ મહિના 20 દિવસ જેલમાં વિતાવ્યા હતા, જ્યારે ગોપાલ અંસલ 4 મહિના અને 22 દિવસ જેલમાં રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ઉપહાર ઘટના પીડિતો એસોસિએશને સજા વધારવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સીબીઆઈએ સજા વધારવાની પણ અપીલ કરી હતી. સુપ્રિમ કોર્ટમાં લગભગ એક વર્ષ સુધી સુનાવણી ચાલી હતી અને આદેશ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. 5 માર્ચ 2014ના રોજ સર્વોચ્ચ અદાલતે અંસલ બંધુઓ અને અન્ય એકને બેદરકારીપૂર્વક મૃત્યુના કેસમાં દોષિત ઠેરવ્યા અને સજાના નિર્ણય માટે મામલો 3 જજની બેન્ચને મોકલ્યો હતો.

ઉપહાર કેસમાં વળતર સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 13 ઓક્ટોબર, 2011ના રોજ સુપ્રીમ કોર્ટે આ રકમ પર વ્યાજ સહિત અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને કુલ 6.35 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X