મોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા
મોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા
નવી દિલ્હીઃ પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી પંચ તરફથી આચાર સંહિતાના ઉલ્લંખનના મામલે ક્લીન ચીટ આપવાના મામલા પર અહમતિ જતાવતા ચૂંટણી કમિશનર અશોક લવાસા આયોગની બેઠકમાં સામેલ નથઈ થઈ રહ્યા. આ ખબર સામે આવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે આ સરકારમાં સંસ્થાઓની ગરીમાને નુકસાન પહોંચાડ્યું છે.

અશોક લવાસાના મામલામાં કોંગ્રેસે મોદી સરકારને ઘેરી
રણદીપ સુરજેવલાએ આ મામલે એક સમાચાર શેર કરતા ટ્વીટ કર્યું, આ ચૂંટણી પંચ છે કે ચૂક આયોગ? લોકતંત્ર માટે વધુ એક કાળો દિવસ. ચૂંટણી પંચના એક સભ્યએ બેઠકમાં સામેલ થવાથી ઈનકાર કર્યો.. જ્યારે ચૂંટણઈ પંચે મોદી-શાહની જોડીને ક્લીન ચીટ આપવામાં વ્યસ્ત હતું ત્યારે લવાસાએ કેટલાય અવસર પર અસહમતિ દર્શાવી. સુરજેવાલાએ વધુ એક ટ્વીટ કર્યું, આરબીઆઈના ગવર્નર રાજીનામું આપે છે, સીબીઆઈ નિદેશકને હટાવી દેવામાં આવે છે, સીવીસી ખોખલો રિપોર્ટ આપે છે, હવે ચૂંટણી પંચના પણ ભાગલા થઈ રહ્યા છે.
|
પીએમ મોદી અને શાહને ક્લીન ચીટ આપવાનો મામલો
લવાસાના મામલે રણદીપ સુરજેવાલાએ વાલ કર્યો કે શું ચૂંટણઈ પંચ તેમની અસહમતિનો રેકોર્ડ કરી શર્મિંદગીથી બચશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ મોદી અને અમિત ાહને ક્લીન ચિટ આપવાના મામલે ચૂંટણઈ કમિશનર અશોક લવાસાએ ખુલીને પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમણે આ મામલે એક પત્ર પણ લખ્યો છે.
|
અશોક લવાસાનો વિરોધ
અશોક લવાસા 4 મેથી ચૂંટણી પંચની આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ મળનાર બેઠકમાં સામેલ નથી થઈ રહ્યા. એનડીટીવીના અહેવાલ મુજબ લવાસાએ મુખ્ય ચૂંટણઈ કમિશનરને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં તેઓ ત્યારે જામેલ થશે જ્યારે આચાર સંહિતા સાથે જોડાયેલ ફેસલામાં તેમની અસહમતિના ફેસલાને પણ ઑન રેકોર્ડ લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
